________________
૩૬
કે તપ એટલા માટે નિરર્થક છે કે તેમાં પિતે આચરેલા સ્વલ્પ દાન, શીલ અને તપની આરાધના છે અને શ્રી જિનેશ્વરોએ આચરેલા અન૫-ઘણું દાન શીલ અને તપની વિરાધના છે. કર્મવશાત્ શક્તિ અને સામર્થ્યના અભાવે દાન, શીલ અને તપનું સેવન ન પણ થઈ શકતું હોય તે પણ શ્રી જિનપૂજામાં રક્ત રહેનાર આત્મા શ્રી જિનેશ્વરદેએ આચરેલા અન૯૫-ઘણું ધર્મને આરાધક બને છે અને એ દ્વારા કાલક્રમે પિતાના આત્માને ઉંચે ચઢાવનાર થાય છે. મુખ્ય માર્ગ એ છે કે દાન, શીલ અને તપમાં શ્રી જિનપૂજાની સાપેક્ષતા જોઈએ અને શ્રી જિનપૂજામાં દાન, શીલ અને તપની સાપેક્ષતા જોઈએ. જેઓ દાન, શીલ અને તપનું સેવન કરવા છતાં અધિક દાતાર, અધિક શીલવાન અને અધિક તપસ્વી એવા શ્રી જિનેશ્વરદેવની પૂજા પ્રત્યે આદરવાળા નથી તથા જેએ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવા છતાં અધિક દાતાર અધિક શીલવાનું અને અધિક તપસ્વી બનવા પ્રત્યે આદરવાળા નથી–તેઓ અને આરાધક નથી. જેમ શ્રી જિનેશ્વરદેવ મહાદાની, મહા શીલવાન અને મહા તપસ્વી છે માટે તેમની નિરંતર પૂજા કરવી જોઈએ. તેમ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરનારે દિન-પ્રતિદિન અધિક દાની, શીલવાન અને તપસ્વી બનવા પ્રયાસ કરે જોઈએ. એ રીતે કરનાર બને આરાધક બને છે.