________________
ભાવપૂજા એમ સાચવી, સત્ય વજા રે ઘંટ; ત્રિભુવન માંહે તે વિસ્તરેજી, ટાલે કમને કંટ, સુકર૦ ૧૫ એણે પરે ભાવના ભાવતાંજી, સાહેબ જસ સુપ્રસન્ન જનમ સફલ જગ તેહને, તેહ પુરુષ ધન ધન,
સુહ કર૦ ૧૬ પરમ પુરુષ પ્રભુ સામલા, માને એ મુજ સેવ; દૂર કરશે ભવ-આમલાજ, વાચક જસ કહે છે. સુહ કર૦ ૧૬.
આવી રીતે ભાવપૂજા સાચવીને સત્યરૂપ ઘંટ વગાડ કે જેને અવાજ ત્રણ ભુવનમાં વિસ્તાર પામે અને સત્યને વિસ્તાર થવાથી કર્મને કાંટે નાશ પામે-કમરૂપ કાંટે નીકળી જાય. ૧૫
આવી રીતે ભાવપૂજારૂપ ભાવના ભાવતાં સાહેબ જેની ઉપર પ્રસન્ન થાય. જેને આત્મા નિર્મળ થાય તેને જન્મ આ જગતમાં સફળ છે. એ પુરુષ અત્યંત ધન્ય છે. ૧૬
હે પરમ પુરુષ! શામળા પાર્શ્વનાથ પ્રભુ ! આ મારી ભાવપૂજા સેવાને આ૫ માન્ય કરો. મારી આ સંસારની વિટંબનાઓને દૂર કરો. એ પ્રમાણે વાચક યશવિજયજી કહે છે. ૧૭
(ગૃહસ્થ દ્રવ્યપૂજા કરતી વખતે મનમાં આ પ્રમાણે વિચારણા કરી ભાવપૂજા પણ સાથે કરે. મુનિ ભગવંતેને દ્રવ્યપૂજા ન હોવાથી ઉપર મુજબની વિચારણા દ્વારા શુદ્ધ ભાવપૂજા કરી શકે છે. )