________________
ત્રણે એક સાથે રહે ત્યારે તેને શ્વાસાનુસંધાન યુક્ત મંત્ર જાપની ક્રિયા કહેવાય છે. શ્વાસે શ્વાસરૂપ પવન, તેની સાથે મન અને મંત્રના અર્થનું જ્ઞાન એ ત્રણે એક થતાં જાપમાં એકાગ્રતા આવે છે અને જાપમાંથી ધ્યાન અને ધ્યાનમાંથી લયદશા પ્રાપ્ત થાય છે. આવી લયદશા જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે અનાહત ધ્વનિનું શ્રવણ થવા લાગે છે.
( ઔદારિકમાંથી ચિત્તવૃત્તિનો પ્રવાહ તેજસ સુધી પહેચતાં આ વનિ સંભળાવા લાગે છે. પવન અને તેજસ શરીરના ઘર્ષણથી શ્વાસોશ્વાસને જે ધ્વનિ ઉત્પન્ન થાય છે, તે અનાહતવનિ અર્થાત્ અનાહતનાદ છે
પ્રાણ, વાણી અને રસવડે જેમ જેમ જાપમાં આગળ વધાય છે અને ચિત્તવૃત્તિ જેમ જેમ વધુ અંતર્લયવાલી તથા વધુ એકાગ્ર બને છે, ત્યારે પ્રથમ તમરાના અવાજ જે, પછી ઘંટના અવાજ જે, પછી શંખના અવાજ જે, પછી દિવ્ય મધુર વાજીંત્રના અવાજ જે એમ ભિન્ન ભિન્ન અવાજ સંભળાય છે.
પ્રાણનો સંબંધ શ્વાસોશ્વાસની સાથે છે, વાણુને સંબંધ મંત્રની સાથે છે અને રસનો સંબંધ મનની સાથે છે. પ્રથમ ભૂમિકા પ્રાણની છે, બીજી ભૂમિકા વાણની છે અને ત્રીજી ભૂમિકા મન (રસ) ની છે. મન જેમ જેમ અંતર્મુખતામાં પ્રવેશતું જાય છે અને જેમ જેમ શાન્ત પડતું જાય છે, તેમ તેમ (રાતે મત થોતિઃ પ્રારા શાન્તમામના