________________
આધ્યાત્મિક દષ્ટિએ
અષ્ટપ્રકારી પૂજાનું રહસ્ય અભિષેક પૂજા–રોગવિષયક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ મનુષ્યના મસ્તકના ઉપરના ભાગમાં બ્રહ્મરંધ્ર છે. ત્યાં હજાર પાંખડીવાળું કમળ છે. તે કમળમાં પરમાત્મા બિરાજે છે. તે સાકાર પરમાત્માના મસ્તક ભાગમાંથી અમૃતરસ ઝરે છે. પરમાત્માની અભિષેક પૂજા વખતે એ રીતે ભાવના ભાવી શકાય કે શરીરમાં રહેલ મેરૂદંડની ટોચ ઉપરથી અમૃતરસ ઝરે છે. '
પુષ્પપૂજા–મનુષ્યના શરીરમાં હદય આદિ ભિન્ન ભિન્ન સ્થાનમાં કમળના આકારે ચકો હોય છે. તે ચક્રો બીડાયેલા હોય છે. પરમાત્માની પુપપૂજા દ્વારા તે ચક્રો (કમળ) વિકસ્વર બને એવી ભાવના કરવામાં આવે છે.
ગંધપૂજા–ચંદન, કેશર આદિ સુગંધી દ્રવ્ય દ્વારા વિકસિત થયેલાં ચકો (કમળો) ની સુગંધને અનુભવ લેવાને છે, તેના પ્રતીકરૂપે ગંધપૂજા છે.
પપૂજા–આત્મા જ્યારે પિતાની અંદર પરમાત્મદશાને અનુભવ કરે છે, ત્યારે કર્મ બળે છે અને તેની ધૂમાડી જેવી શિખા બહાર નીકળે છે, તેના પ્રતીકરૂપે ધૂપ