________________
શમાં આવતાં રાત્રિ દિવસથી પર કેવળ પ્રકાશ રહે છે.” આ રીતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ એ કાયોત્સર્ગનું ફળ છે.
કોત્સગને પ્રભાવ, કાત્સર્ગથી સહનશીલતા, એકનિષ્ઠતા, તથા ત્રણે વેગોની એકાગ્રતા સિદ્ધ થાય છે. કાર્યોત્સર્ગથી શરીરની જડતા અને મનની મંદતા દૂર થાય છે. ધાતુ અને વાયુનું વૈષમ્ય શમે છે. બુદ્ધિ અને વિચારશક્તિ વધે છે. ભાવનાની શુદ્ધિ અને એકાગ્રતાની વૃદ્ધિ થાય છે
શ્રી આવશ્યક નિર્યુક્તિની ૧૫૪૬મી ગાથામાં કાર્યોત્સર્ગનું માહાસ્ય વર્ણવ્યું છે. શાતિ-સમાધિ, સમાનતા અને એકાગ્રતાની વૃદ્ધિ માટે કાર્યોત્સર્ગ પ્રતિદિને કર્તવ્ય છે. કાત્સર્ગથી ગુણગ્રાહકતા વધે છે, સ્વરૂપરમણતામાં અંતરાય કરનારાં કર્મ પાતળાં પડે છે, દષ્ટિની સ્થિરતા પ્રાપ્ત થાય છે તથા શ્રોત્રાદિ ઈન્દ્રિયો ઉપર વિજય મળે છે. કાર્યોત્સર્ગથી જિનવચનમાં શ્રદ્ધા વધે છે, સૂક્ષમ પદાર્થો સમજવાની મેધા વધે છે. ધર્મ ઉપર પ્રીતિ વધે છે. રાગાદિની આકુળતા ઘટે છે, ધારણશક્તિ વધે છે. તત્વચિંતન લંડું થાય છે, અને આત્મશક્તિનો વિકાસ થાય છે.
કાયોત્સર્ગથી પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત કર્મોને પણ ક્ષય થાય છે. અનિચ્છાએ થતા વિષયને સંબંધ સ્પષ્ટ બંધ કરાવે છે. વિષાનો અસંબંધ છતાં વિષયોની ઇચ્છાથી જે બંધ થાય તે બદ્ધ કહેવાય છે. વિષયને સંબંધ