________________
You
અને ઈચ્છા ઉભયથી જે બંધ થાય તે નિદ્ધત્ત કહેવાય છે અને વિષયના સંબંધની સાથે ઉત્કૃષ્ટ ઈચ્છાથી જે કર્મબંધ થાય તે નિકાચિત કહેવાય છે. કાર્યોત્સર્ગથી ઉપરના ચારે પ્રકારના કર્મોને ક્ષય થાય છે.
કાયેત્સર્ગ ત્રણચિકિત્સારૂપ હોવાથી તેમાં જ્ઞાન-ક્રિયા ઉભયને યોગ છે. કાત્સર્ગથી વાત વિગેરે ધાતુતું વૈષમ્ય દૂર થવા દ્વારા દેહનું આરોગ્ય વધે છે. બુદ્ધિમાંદ્ય દૂર થવાથી વિચારશકિત વિકસે છે. અનુકૂલ-પ્રતિકૂલ સંયેગોમાં સુખ-દુઃખને સહન કરવા માટેની અર્થાત સુખદુઃખમાં સમભાવ રાખવાની શક્તિ વધે છે. ભાવના તથા ધ્યાનને અભ્યાસ થાય છે. અતિચાર તથા દેનું ચિંતન થાય છે. અને તે તે દોષોને સહેલાઈથી દૂર કરી શકાય છે.
કાયેત્સર્ગની ક્રિયાથી થતા પ્રત્યક્ષ લાભ.
ટુંકમાં કહેવું છે તે કાર્યોત્સર્ગ થી નીચેના લાભ થાય છે.
(૧) દેહનું આરોગ્ય. (૨) બુદ્ધિની તેજસ્વિતા. (૩) સુખ-દુખની તિતિક્ષા. (૪) ધ્યાનાભ્યાસ. (૫) ભાવનાની વૃદ્ધિ