________________
શીતલસ્વામી જે દિન રે દીઠો તુજ દેદાર રે; તે દિનથી મન માહરે, પ્રભુ લાગ્યું તાહરી લાર, તુ ૨ મધુકર ચાહે માલતી રે, ચાહે ચંદ ચકોર રે; તિમ મુજ મનને તાહરી, લાગી લગન અતિ જેર.
ભરે રેવર ઉલટે રે, નદીયા નીર ન માય; તે પણ યાચે મેઘરે, જેમ ચાતક જગમાંય. તેમશું. ૪ તેમ જગમાંહિ તુમ વિના રે, મુજ મન નાવે કે રે; ઉદય વદે પદ સેવના રે, પ્રભુ દીજે સન્મુખ હેય,
તુમણું૦ ૫ જિનેશ્વદેવ! મને તમારી સાથે એ રંગ લાગ્યા છે કે મારી સાતે ધાતુ તમારા પ્રત્યેના ભક્તિરંગથી રંગાઈ ગઈ છે. ૧
હે શ્રી શીતલનાથ પ્રભુ! મેં જે દિવસે તમારી મૂર્તિ જોઈ તે દિવસથી મારું મન તમારા ઉપર લાગ્યું છે. ૨
જેમ ભ્રમર માલતી પુષ્પને ચાહે છે, ચકોર પક્ષી જેમ ચંદ્રને ઈચ્છે છે, તેમ મારા મનને તમારી લગની અત્યંત જોરદાર લાગી છે. ૩
સરોવર પાણીથી છલોછલ ભરાયેલા હોય, નદીઓમાં પાણી માતું ન હોય, તે પણ જેમ ચાતક પક્ષી જગતમાં મેઘને જ યાચે છે-મેઘ પાસે માગણી કરે છે. ૪
તેમ તમારા સિવાય મારા મનમાં કોઈ આવતું નથી. શ્રી ઉદયવિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ! મને સન્મુખ થઈ તમારા ચરણની સેવા આપે. ૫