________________
ધૂપ રૂપ અતિ કાર્યતાજી, કૃણાગરને જોગ; શુદ્ધ વાસના મહામહે છે, તે તો અનુભવ ગ, સુહંકર, ૧૧ મસ્થાનક અઠ છોડવાજી, તેહ અષ્ટ મંગલિક જે નૈવેદ્ય નિવેદીજી, તે મન નિશ્ચલ ટેક. સુહ કર૦ ૧૨ લવણ ઉતારી ભાવીએજી, કૃત્રિમ ધર્મને રે ત્યાગ; મંગલદીવે અતિભલજી, શુદ્ધ ધર્મ પરભાગ સુહંકર ૧૩ ગીત, નૃત્ય-વાજિંત્રનેજી, નાદ અનાહત સાર; શમરતિ રમણું જે કરી છે, તે સાચે થઈકાર. સુહકર૦ ૧૪
અતિ-વિવિધ પ્રકારની ક્રિયા (ચરણસિત્તરી, કરણસિત્તરરૂપ ક્રિયા )રૂપ કૃષ્ણાગરુના સંયેગવાળો ધૂપ કરે
અને તેમાંથી જે સંદર-શુદ્ધ સુગંધ મઘમઘે છે તે અનુભવ વેગ સમજ. ૧૧
આઠ મદસ્થાનેનો-આઠ મદને જે ત્યાગ કરે તે આઠ માંગલિક સમજવા. અને મનની નિશ્ચલ ટેક-મનની સ્થિરતારૂપ નિવેદ્ય મૂકવું. ૧૨
લવણ (લુણ) ઉતારતી વખતે કૃત્રિમ બનાવટી મિથ્યા ધમને ત્યાગ કરું છું તેમ વિચારવું. અને શુદ્ધ ધર્મના શ્રેષ્ઠ ભોગવટારૂપ-સેવનરૂપ સુંદર મંગળદીપક અત્યંત સુંદર છે. ૧૩
ગીત-નૃત્ય અને વાજિંત્રના અવાજરૂપ શ્રેષ્ઠ અનાહત નાદ સમજ. સમભાવમાં રમણતારૂપ સ્ત્રી તે સાચો થેઈ. કાર ( તાન) સમજવો. ૧૪