________________
૩૬૭
૫માં જો કહેવુ' હે ય, તેા પ્રભુભક્તિથી શુભ ભાવની દિનપ્રતિદિન વૃદ્ધિ થાય છે. વળી એ શુભ ભાવની વૃદ્ધિ ક્રમસર ઉપર-ઉપરના ગુણસ્થાનાને પ્રાપ્ત કરાવી, અ'તે આત્માને વિકાસની પરાકાષ્ઠાએ પહોંચાડી અને જીવને સર્વ કમ થી રહિત મનાવી માક્ષનું અન ત સુખ પ્રાપ્ત કરાવવા માટે સમથ અને છે.
આ રીતે પ્રભુભક્તિ એ સર્વ કલ્યાણનુ અમાદ ખીજ છે. સવ કર્મોના ક્ષયરૂપ તથા અનત સુખના ભંડારસ્વરૂપ માક્ષપ્રાપ્તિ માટે શકય પુરુષાર્થ કર્યો કરવા, એ જ આ દુલ ભ મનુષ્યજન્મમાં કરવા લાયક ઉત્તમાત્તમ કલ્યાણુ સાધના છે.
ગુણવાનાના ગુણાનુ` કીતન કરવુ, એ પ્રાપ્ત થયેલ વાચાનું સાચું ફૂલ છે અને એ જ દૃષ્ટિએ પ્રભુગુણરસિક એવા મહાપુરુષોએ પરમાત્મગુણૢા પ્રત્યે પેાતાની શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરવા માટે ભક્તિરસથી ભરપૂર અનેક ભાવવાહી કાચૈાની રચના કરી છે. સામાન્ય રીતે ગદ્યરચના કરતાં પદ્ય (કાવ્યમય ) રચનામાં કંઠસ્થ રાખવાનું વધારે સરળ પડે છે. કાવ્યા કઠસ્થ થયા પછી, તેને અનુકૂળતા મુજબ ગમે તે સમયૈ સ્વતંત્ર રીતે પુનઃ પુનઃ રટણ અને અનુપ્રેક્ષા કરવા દ્વારા તેના સકારા હૃદયમાં ઉંડે સુધી ઉતારી શકાય છે, કે જે સત્કારા જન્માંતરમાં પણ ભક્તિભાવની જાગૃતિમાં નિમિત્ત બની જીવને સહેલાઇથી કલ્યાણસાધનામાં આગળ વધારે છે,