________________
તેઓનું સ્મરણ ક્ષણવારમાં આપણા આત્મામાં શુભ ભાવની વૃદ્ધિ કરાવી અને ચિત્તની પ્રસન્નતા વધારી, તેને વર્ગ અને મોક્ષસુખનું ભાજન બનાવે છે.
પ્રભુભક્તિનું તાત્કાલિક ફળ ચિત્તની પ્રસન્નતા છે. અને પરંપરક ફળ સદ્ગતિ તથા મોક્ષ છે. પ્રભુભક્તિના તાત્કાલિક ફળ તરીકે ચિત્તની પ્રસન્નતાનું પણ રાગ-દ્વેષથી ભરેલા આ સંસારમાં ઘણું મોટું મૂલ્ય છે. ખરી રીતે આ ચિત્તની પ્રસન્નતા એ જ મનુષ્યનું અંતર ધન છે અને તે બાહૃા-અત્યંતર તમામ ઋદ્ધિ-સિદ્ધિનું પરમ કારણ છે. આ ચિત્તની પ્રસન્નતા ત્રણ ભુવનની બાહ્ય સંપત્તિ કરતાં પણ
અધિક છે; ત્રણ ભુવનનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું હોય, પણ જે ચિત્ત પ્રસન્ન નથી હતું. તે તે ઐશ્વર્ય ઉલટું કષ્ટકારક બને છે. અને જે ચિત્તની પ્રસન્નતા હોય, તે ગમે તેવા કપરા સંજોગોમાં પણ કદને અનુભવ થતું નથી, પરંતુ તેવા પ્રસંગે પણ આનંદને અનુભવ થાય છે.
આ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષપણે ભગવાન તરફથી અનંત ઉપકાર આપણું ઉપર થઈ રહેલ છે, આવું જે સમજે છે, તે કૃતજ્ઞ આત્મા જળ વિના માછલીની જેમ એક ક્ષણ પણ પ્રભુના સ્મરણ વિના રહી શકતા નથી.
પરમાત્મગુણ પ્રત્યેના બહુમાનના પરિણામપૂર્વક કરાતી ભક્તિ એ પા પવનને બાળી નાખવા માટે દાવાનળ સમાન છે, કારણ કે તેમાં ગુણપ્રકર્ષતાની ટોચે પહોંચેલા ભગવાન