________________
અહીં હવે પછીના પ્રકરણમાં ભકિતરસપ્રધાન ૧૦ કાવ્યો રજૂ કરવામાં આવ્યા છે, અને તેને સામાન્ય શબ્દાર્થ પણ આપવામાં આવ્યું છે. દૂધ એલું પણ મધુર હોય છે પણ તેમાં જ્યારે સાકર ભળે છે, ત્યારે તેની મધુરતા વિશેષ અભિવ્યક્ત થાય છે, તેમ આ ભાવવાહી સ્તવનેના અર્થનું જે જ્ઞાન હોય તે તે બેલતી કે સાંભળતી વખતે વિશેષ આનંદ પ્રગટે તે સ્વાભાવિક છે. તેથી સામાન્ય બેધવાળા ભક્તિવત છેને ઉપયોગી થાય તે રીતે આ પદો અર્થ સહિત પ્રગટ કરવામાં આવ્યાં છે.
મહાપુરુષની કાવ્યરચના અનેક અપેક્ષાઓથી ભરપૂર અને ગંભીર હોય છે, તેના ઉપર ગમે તેટલું વિવેચન કર વામાં આવે તે પણ તે અપૂર્ણ જ બની રહે છે. તેમાંના ગંભીર ભાવોને સમજવા માટે તે સાક્ષાત્ ગીતાર્થ પુરુષે પાસે વસીને નમ્રભાવે જાણવા પ્રયત્ન કરવો એ જ એને ધેરી માગે છે. તેમ છતાં સૌ કોઈને એ સુગ પ્રાપ્ત થઈ શકતા નથી, તેવા આત્માર્થી છે પણ આ પદોના સામાન્ય અર્થ સમજી તેમાં પ્રવેશ કરશે તે તેના વિશેષ અર્થ જાણવાની તેમને અવશ્ય જિજ્ઞાસા ઉત્પન્ન થશે અને તેઓ ગીતાર્થ મહાપુરુષનું શરણું શોધી તેને ગંભીર અર્થને પણ સમજવા માટે પ્રયત્નશીલ બનશે એવી ધારણા રાખી અહીં માત્ર સામાન્ય શબ્દાર્થ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે.