________________
૩૬૩
“મુક્તિથી અધિક તુજ ભકિત મુજ મન વસી,
જેહશું સબળ પ્રતિબંધ લાગે; ચમક પાષાણ જેહ લેહને ખિંચ,
મુકિતને સહજ તુજ ભકિતરાગે,
અન્યત્ર એક સ્થળે તેઓશ્રીએ સંસ્કૃત કાવ્યમાં પણ ફરમાવ્યું છે કે
સામેતમા દ્રઘં, છત્તાવાત . भक्तिर्भागवती बीजं, परमानंदसम्पदाम् ॥ १ ॥
અર્થ-શ્રુતસાગરનું અવગાહન કરવાથી આ પ્રકારને સાર મેં પ્રાપ્ત કર્યો છે કે-શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ એ જ એક પરમાનંદ-મેક્ષની સંપદા (લક્ષ્મી)નું બીજ છે.
તાપર્ય એ છે કે-પ્રભુભક્તિ અવશ્ય મુક્તિને ખેંચી લાવે છે. ભક્તિ એ મુક્તિનો અમોઘ ઉપાય છે. જેને મુક્તિની ઈચ્છા હોય, તેણે મુક્તિના અનન્ય કારણરૂપ પ્રભુભક્તિને પિતાના આત્મામાં જગાડવી જ જોઈએ. એ પ્રમાણે કાર્ય કારણની સનાતન વ્યવસ્થા છે. વાસ્તવિક કારણેના સેવન વિના વાસ્તવિક કાર્યની ઉત્પત્તિ કદી પણ થતી નથી.
સમક્ષઓ માટે મોક્ષપ્રાપ્તિ એ કાર્ય છે અને પ્રભુભક્તિ એ એનું કારણ છે. એટલે જેમને કાર્યની ઇચ્છા હોય, તેમણે અવિરતપણે નિયમિત આદર અને બહુમાન પૂર્વક પ્રભુભક્તિમાં લાગી જવું, એ જ કાર્યસિદ્ધિને મહામંત્ર છે.