________________
પ્રત્યેનું બહુમાન છે. આ બહુમાનને પરિણામ કામધેનુ, કામકુંભ અને ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક પ્રભાવયુક્ત છે.
જીવનમાં ભક્તિરસને આસ્વાદ લઈને તૃપ્ત થયેલા અનુભવસિદ્ધ મહાપુરુષએ શાસ્ત્રોમાં ફરમાવ્યું છે કે પરમાત્મા પ્રત્યેની ભક્તિના પરિણામથી સમકિતની નિર્મળતા થાય છે, જ્ઞાનપ્રકાશ વધે છે અને ચારિત્રની સ્થિરતા થાય છે.
વળી તે જ મહાપુરુષે સ્પષ્ટ રીતે ફરમાવે છે કે ઉત્તમ કા દ્વારા પરમાત્માના ગુણને વાણીમાં ઉતારવાથી, પિતાના ચિત્તને પરમાત્માના ગુણોમાં પરોવી શકાય છે અને પર માત્માના ગુણમાં ચિત્તની તન્મયતા થવાની અનેક ભવ સંચિત પાપપુજે ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે. હૃદયમાં પરમાત્માના ગુણોની સ્થિરતા થવાથી કર્મના દઢ બંધને પણ શિથિલ થઈ જાય છે. પરમાત્માના ગુણોનું ધ્યાન, ચિંતન અને વારંવાર સ્મરણ થવાથી દુરુચ્છેદ અને દીર્ઘ એવા સંસારને પણ શીધ્ર ઉછેદ થઈ જાય છે.
ભક્તિરસપ્રધાન કાવ્યનું નિત્ય નિયમિત રટણ કરનાર ભવ્ય આત્માને પિતે સમજી શકે તેવી અનેક પ્રકારની અનુભૂતિ પણ થવા લાગે છે. જેમ કે જાણે પરમાત્માની સાથે પિતાની એકાગ્રતા વધતી જતી હોય, જાણે દિનપ્રતિદિન પિતામાં પાપવૃત્તિ ઘટતી જતી હોય, જાણે હદયમાં પવિત્રતાને વધારે થતું હોય, જાણે બુદ્ધિ સૂક્ષમ અને નિર્મળ બનતી હોય અને જાણે અંતઃકરણમાં ધર્મ બીજનું વાવેતર થઈ રહ્યું હેય, એ અનુભવ થવા લાગે છે. સંક્ષે