________________
૩૫૮
શ્રેષ્ઠ છે એ કથન જેઓ પૂજા કરે છે અને સત્ય બોલવું વિગેરે બીજી આજ્ઞાઓને પાળતા નથી, તેઓ માટે છે. પરંતુ જેઓ સત્ય બોલવું વિગેરે બીજી આજ્ઞાઓને પાળે છે અને શ્રી જિનપૂજા કરવાની આજ્ઞાને પાળતા નથી, તેઓની સઘળી પણ ધર્મક્રિયાઓને શાસ્ત્રકારોએ નિષ્ફળ કહી છે. કહ્યું છે કે
“લાંબા કાળ સુધી તપ તપે, ચારિત્ર પાળ્યું અને ઘણું પણ શ્રત ભયે છતાં જેને શ્રી જિનપૂજાને મને રથ થયો નથી, તેનું સઘળું નિષ્ફળ ગયું સમજવું. શ્રી જિનપૂજાના મનોરથ વિનાને તપ એ લંઘન છે, ચારિત્ર એ કાયકષ્ટ છે અને શ્રુત એ મિથ્યા છે. શ્રી જિનપૂજા એ મિથ્યાત્વરોગનું ઔષધ છે. એ ઔષધનું જેઓ ભાવથી સેવન કરતા નથી, તેઓને મિથ્યાત્વરૂપી રોગ નાશ પામતે નથી. મિથ્યાત્વયુક્ત ધર્માનુષ્ઠાનને શાસ્ત્રકારોએ અંક વિનાના મીંડા તુલ્ય ગણેલું છે. સ્તુતિ અને તેત્રાદિ વડે પ્રધાન એવી શ્રી જિનપૂજા વિધિપૂર્વક (નિરન્તર ) કરવી જોઈએ. ૧ દ્રવ્યસ્તવનું ફળ દર્શાવતાં કહ્યું છે કે" जिनभवने जिनबिम्बं जिनपूजां जिनमतं च यः कुर्यात् ।
तस्य नरामरशिवसुखफलानि करपल्लवस्थानि ॥ २ ॥ શ્રા જિનભવન, શ્રી જિનબિમ્બ, શ્રી જિનપૂજા અને શ્રી જિનમતને જે કરે છે, તેને નરસુખો, સુરસુખ અને શિવ સુખો રૂપી ફળ કર૫૯લવમાં–હથેલીમાં આવી મળે છે. ૨
એ રીતે શ્રી જિનપૂજાદિ દ્રવ્યતવ પણ ભગવાનની આજ્ઞા ઉપદેશના પાલન રૂપ જ છે.