________________
૩૬૯
પ્રશ્ન–શ્રી જિનપૂજા એ દ્રવ્યસ્તવરૂપ છે અને દાનાદિ
ધર્મોનું આસેવન એ ભાવસ્તવરૂપ છે. ભાવસ્તવ કર
નારને દ્રવ્યસ્તવની શી જરૂર છે? સમાધાન–શ્રી જિનમતમાં ધર્મનાં ચાર પ્રકાર કહ્યા છે.
દાન, શીલ, તપ અને ભાવ. તેમાં ભાવ વિનાને દાનાદિ ત્રણ ધર્મોને શેરડીના પુષ્પની જેમ નિષ્ફળ માનેલા છે. દાનાદિ ત્રણ ધર્મોને સફળ બનાવનાર “ભાવ” છે. એ ભાવની પ્રાપ્તિ માટે અનેક પ્રકારે બતાવ્યા છે. તેમાં શ્રી જિનપૂજા મુખ્ય છે. શ્રી જિનપૂજા એ સમ્યક્ત્વને નિર્મળ કરનાર છે. સમ્યફની શુદ્ધિ ભાવને વધારે છે અને ભાવની વૃદ્ધિપૂર્વક થતાં ધર્માનુષ્ઠાન, એ જ પરિપૂર્ણ ફળદાયી નિવડે છે. શ્રી જિનપૂજા એ દ્રવ્યસ્તવરૂપ છે તેમ સમ્યફવની કરણી હોવાથી ભાવધર્મરૂપ પણ છે. દ્રવ્યસ્તવરૂપ હોવાથી શ્રી જિનપૂજા એ જેમ દાનાદિથી ગૌણ છે, તેમ સમ્યક્ત્વની કરણીરૂપ ભાવધર્મરૂપ હોવાથી શ્રી જિનપૂજા એ દાનાદિથી મુખ્ય પણ છે. શ્રી જિનમતમાં સઘળી પ્રરૂપણા ગૌણ મુખ્ય ભાવે હોય છે. એને નહિ સમજનાર એક વસ્તુનું એકાંતે સ્થાપન કરવા જતાં અન્ય વસ્તુને
નિષેધ કરી બેસે છે અને તેથી માગને લેપ થાય છે. પ્રશ્ન-દાન, શીલ અને તપ વિનાની શ્રી જિનપૂજા વધે કે
શ્રી જિનપૂજા વિનાના દાન, શીલ અને તપ વધે? સમાધાન–શ્રી જિનપૂજાથી નિરપેક્ષપણે થતા દાન, શીલા