________________
૩૫૭
સમાધાન-શ્રી જિનપૂજાથી શ્રી જિનેશ્વરદેવને ઉપકાર
થતું નથી. તો પણ પૂજા કરનારને મન્નાદિના દષ્ટાંતથી ઉપકાર અવશ્ય થાય છે. જેમ મંત્રનું સ્મરણ કરવાથી મન્વને અગ્નિનું આસેવન કરવાથી અગ્નિને કે વિદ્યાને અભ્યાસ કરવાથી વિદ્યાને કાંઈ ઉપકાર થતું નથી, તે પણ સ્મરણ, સેવન અને અભ્યાસ કરનારને વિષ ઉતરવા રૂપ, શીત દૂર થવા રૂ૫ અને વિદ્યા સિદ્ધ થવા રૂપ ઉપકાર અવશ્ય થાય છે. તેમ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી તેમને કઈ પણ પ્રકારનો ઉપકાર થતું નથી તે પણ પૂજકને શુભ અધ્યવસાયથી અશુભ કર્મની નિર્જરા તથા વિશિષ્ટ પુણ્યના બંધને લાભ અવશ્ય
થાય છે. પ્રશ્ન–ભગવાન કૃતકૃત્ય છે. તેમના કોઈ પણ પ્રયાજને
બાકી રહ્યાં નથી, તેથી તેમની પૂજા નિરર્થક છે. સમાધાન–ભગવાન સર્વથા કૃતકૃત્ય છે, માટે જ તેઓ
પૂજાને ગ્ય છે. જેઓ કૃતકૃત્ય થયા છે, જેમનાં સર્વ પ્રયોજને સિદ્ધ થઈ ચૂક્યા છે, તેઓ જ ઉત્કૃષ્ટ ગુણવાન ગણાય છે. એવા ઉત્કૃષ્ટ ગુણવાનની પૂજા કરવી એ સર્વથા એગ્ય છે.
પ્રશ્ન-શ્રી જિનપૂજા કરવા કરતાં તેમની આજ્ઞાનું પાલન
કરવું એ જ શ્રેષ્ઠ છે, કહ્યું છે કે “વીરા ! તારતનાજ્ઞાપાત્રરં જમ્ !”