________________
તથા દેવદર્શનમાં જ્ઞાનાધ્યયન અને સામાયિક માનેલાં છે. એકને સ્વીકારીને બીજાને નિષેધ કરનારો એકને પણ શુદ્ધ રીતિએ સ્વીકારી શકતા નથી. એકલા જ્ઞાનાધ્યયન કે એકલા સામાયિકને પકડી દેવદર્શનને છેડી દેના સમ્યજ્ઞાની કે યથાર્થ ચારિત્રી બની શકતા નથી. જ્ઞાન જેમ અજ્ઞાનથી થનારા આશ્રવને રોકનાર છે અને ચારિત્ર જેમ અવિરતિથી થતા આશ્રવને અટકાવે છે, તેમ દેવભક્તિ પણ મિથ્યાત્વથી આવતા ઘેર આશ્રવને અટકાવનારી છે. શ્રી જિનમતમાં અજ્ઞાન અને અવિરતિથી જેમ કર્મનો આશ્રવ અને બંધ માને છે, તેમ મિથ્યાત્વથી પણ કર્મને આશ્રવ અને બંધ માને છે. મિથ્યાત્વના આશ્રવને અટકાવવાનું અને બંધને બંધ કરવાનું કાર્ય એકલા જ્ઞાન કે ચારિ ત્રથી થતું નથી. કિન્તુ તે માટે દેવભક્તિની પણ પરમ આવશ્યકતા છે. “દેવદર્શન” એ દેવભક્તિનું પરમ પ્રધાન અંગ છે. એ વિના દેવને નમન-વંદન-અર્ચન-પૂજનદયાનાદિ કાંઈ પણ થઈ શકતું નથી એ કારણે દીર્ઘદશ જ્ઞાની મહર્ષિઓએ આબાલવૃદ્ધ સર્વને ઉપકારક દેવદર્શનની પવિત્ર ક્રિયા નિરન્તર કરવા માટે અત્યંત ભારપૂર્વક ઉપદેશ આપ્યો છે. જેનાથી બીજું કાંઈપણ ન બની શકતું હોય, તે પણ શ્રદ્ધાપૂર્વક નિરન્તર દેવદર્શનની ક્રિયામાં ફક્ત રહે અને તેને ન છેડે તે તેને ઉદ્ધાર પણ કાલકમ શક્ય છે. મિથ્યાત્વરૂપી જલથી અને કુમાર-દુરાગ્રહરૂપી જલજંતુઓથી ભરેલા