________________
૩૫૩ કર્મનિર્જ અને પુણ્યબંધને નિષેધ કરી ઘેર અંત. રાય કમને ઉપાર્જન કરનારા થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – “fજળપૂણાવિશ્વ હિંન્નારૂપાળો ના વિઘ” “શ્રી જિનપૂજામાં અંતરાય કરનાર તથા હિંસાદિ કાર્યોમાં તત્પર રહેનારે અંતરાય કમને ઉપાર્જન
કરે છે.” શકા–દેવદર્શનાદિમાં સમય ગાળવા કરતાં જ્ઞાન, ધ્યાન,
સ્વાધ્યાય કે સામાયિકાદિમાં સમય ગાળવાથી વિશેષ
લાભ થાય કે નહિ? સમાધાન–શ્રી જિનમતમાં દરેક વસ્તુ તિપિતાના સ્થાનમાં
એક સરખી પ્રધાનતા અને ઉપયોગિતા ધરાવે છે. જ્ઞાનાધ્યયનથી નિરપેક્ષ સામાયિક અને સામાયિકથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન જેમ નિષ્ફળ છે, તેમ દેવદર્શનથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન કે સામાયિક પણ નિષ્ફળ છે. જે જ્ઞાન ભણવા છતાં સામાયિકને ભાવ ઉત્પન્ન ન થાય, તે જ્ઞાન જેમ સફળ નથી, તેમ જે જ્ઞાન ભણવા છતાં દેવભક્તિનો ભાવ પણ ઉત્પન્ન ન થાય, તે જ્ઞાન પણ નિષ્ફળ જ છે. અથવા જેમ જ્ઞાન રહિત સામાયિક કિંમત વિનાનું છે, તેમ દેવભક્તિ રહિત જ્ઞાન કે સામાયિક પણ કિંમત વિનાના છે. અથવા શ્રી જિનમતમાં જેમ સમ્યગદર્શનમાં જ્ઞાન અને ચારિત્ર, સમ્યજ્ઞાનમાં દર્શન અને ચારિત્ર તથા સમ્યફ ચારિત્રમાં જ્ઞાન અને દર્શન મળેલાં છે, તેમ જ્ઞાનાધ્યયનમાં દેવદર્શન અને સામાયિક, સામાયિકમાં જ્ઞાનાધ્યયન અને દેવદર્શન