________________
૩૫૧
ભ્રાન્ત છે. એટલુ જ નહિ પરંતુ ધર્મ પ્રત્યે લઘુતાઅનાદરભાવ ઉત્પન્ન કરાવી અતિ તીવ્ર અશુભ કમના મધના હેતુ થાય છે. ૧
શકા—દેવદર્શનાદિ ધમ' ક્રિયા કયા આશયથી કરવી જોઇએ ? સમાધાન—દેવદર્શનાદિ ધમ ક્રિયા કરવાના પ્રધાન આશય અતઃકરણની શુદ્ધિ કરવાના છે. અંતઃકરણની શુદ્ધિથી કમ ક્ષય થાય છે અને ક્રમ ક્ષયથી સકલ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. લૌકિક લની કામના અંતઃકરણના શુભ પરિણામના નાશ કરે છે, શુભ પરિણામના નાશથી ક્રમ ના અધ થાય છે અને ક્રમ બન્ધથી સર્વ અકલ્યાણુની પ્રાપ્તિ થાય છે. એ કારણે શ્રી જિનમતમાં સઘળી ધમ ક્રિયાના આશય-પ્રધાન હેતુ અંતઃકરણના શુભ પરિ ણામની વૃદ્ધિ અને અશુભ પરિણામના નાશ કરવાને છે અને એ જ એક આશયે સઘળી ધમ ક્રિયા કરવાની છે. શંકા—દેવદર્શનથી શુભ પરિણામની વૃદ્ધિ કેવી રીતે થાય ? સમાધાન—શ્રી જિનમતમાં દેવ તરીકે અષ્ટાદશદેોષરહિત,
૧-કીત્તિ આદિની સ્પૃહાથી ધમ કરવા એ કેવળ અશુભ માટે જ છે, તે પણ ધર્મ માટે–ધમાં જોડવા માટે ધમ કરનારની કીર્ત્તિ, પ્રશસા, દાન, સમ્માન, સ્તુતિ અને ભક્તિ આદિ કરવાં એ અશુભ માટે નથી, એ યાદ રાખવુ જોઇએ. પૌલિક લાભ માટે ધમ કરવાના નથી તે પણ ધમ કરવાથી પૌદ્ગલિક લાભ પણ્ મળે છે. એમ કહેવામાં લેશ પણુ દોષ કે ભ્રાન્તિ નથી. કારણ કે એથી ધમ ની લઘુતા થતી નથી. કિન્તુ એક પ્રકારે મહત્તા જ પ્રતિતિ થાય છે.