________________
૩૪૧
એમાં આશ્ચર્ય નથી. ધર્મક્રિયાનું સર્વોત્તમ ફલ મેળવવા માટે જેટલી આવશ્યકતા ક્રિયાશુદ્ધિની છે, તેટલી જ આવશ્યકતા ભાવશુદ્ધિની પણ છે. કઈ પણ પ્રકારના લૌકિક ફળની આકાંક્ષા વિના કેવા કર્મક્ષયના ઈરાદે જેઓ ધર્મક્રિયા કરે છે, તેઓને શુભ ભાવની પ્રાપ્તિ થયા સિવાય રહેતી નથી અને શુભ ભાવથી નિયમા કર્મને ક્ષય થાય છે અને કર્મક્ષયથી નિયમા સર્વ
કલ્યાણની પ્રાપ્તિ થાય છે. શંક–આજે તેવા શુદ્ધ દયેયથી ક્રિયા કરનારા ક્યાં છે? સમાધાન–નથી એમ કહેવું છેટું છે. પણ પ્રમાણમાં ઘણા થોડા છે. તે પણ સમ્યગૂજ્ઞાનને પ્રચાર કરી શુદ્ધ ધ્યેયથી ક્રિયા કરનારાઓની સંખ્યા વધારી શકાય છે. જેમ જેમ નિર્મળ ભાવથી દેવદર્શનાદિ ધર્મક્રિયા કરનારાઓની સંખ્યા વધતી જશે, તેમ તેમ દેવદર્શનાદિ ધર્મક્રિયાઓને મહિમા દરેકને સ્વાનુભવપ્રતીત થશે. દેવદર્શન-વંદનાદિ ધર્મક્રિયાઓના પ્રભાવને કલ્પવૃક્ષ, ચિન્તામણિ અને બીજા તેવા ઇછિત ફળને આપનાર પદાર્થોની સાથે પણ સરખાવી શકાય તેમ નથી. કહ્યું છે કે– " कल्पद्रमः परो मन्त्रः, पुण्यं चिन्तामणिश्च यः । गीयते स नमस्कारस्तथैवाहुरपण्डिताः ॥ १ ॥ कल्पद्रुमो महाभागः कल्पनागोचरं फलम् । ददाति न च मन्त्रोऽपि, सर्वदुःखविषापहः ॥२॥