________________
૩૪૦
સમાધાન—વિધિપૂર્વક નહિ કરનારા વિધિપૂર્વક કરે, દેવનું સ્વરૂપ નહિ સમજનારા દેવનું સ્વરૂપ સમજે તથા રૂઢિ માત્રથી કરનારા પણ સમજપૂર્વક કરતા થાય, એ માટે ઉપદેશ અને લખાણ દ્વારા સમ્યજ્ઞાનના પ્રચાર કરવાની આવશ્યકતા છે. એ વાત સાચી છે કે સમ્યગ્જ્ઞાન દ્વારા જ્યાં સુધી દેવનું યથાર્થ સ્વરૂપ સમજાય નહિ, ત્યાં સુધી જોઇએ તેવા ભાવ આવે નહિ અને જોઇએ તેવા ભાવ આવે નહિ ત્યાં સુધી ક્રિયાની શુદ્ધિ અને કા ક્ષય થાય નહિ,
શકા—શુદ્ધ ક્રિયા કરનારા પણ ભાવ વિનાના દેખાય છે. રાજ વિધિપૂર્વક ત્રિકાળ દેવદન કરવા છતાં તેમના અંતરના પરિણામ સુધરતા નથી અને દેવદન નહિ કરનાર કરતાં પણ તેમના જીવન વધારે અશુદ્ધ દેખાય છે, તેનુ શું ?
સમાધાન—એમાં કારણ તેમની શુદ્ધ ક્રિયા નથી પણ અજ્ઞાનતા અને લેાભ વિગેરે છે. માયાથી, લાભથી અને અજ્ઞાનથી કરેલી શુદ્ધ ક્રિયા પણ શુભ ભાવતુ કારણુ બનતી નથી. એટલા માટે શાસ્ત્રકારાએ સવ ધમ ક્રિયા નિન્દ 'ભષણે, નિરાશ સભાવે તથા એક મુક્તિની જ કામનાપૂર્વક કરવાનું ફરમાવ્યું છે. પરન્તુ જેએ ભવાભિન'દિતા, કદાગ્રહ કે અજ્ઞાનતા આદિના કારણે શાસ્ર કારાના તે ઉપદેશના અમલ કરતા નથી, તેઓને દેવદનાદિ કરવા છતાં શુભ ભાવની પ્રાપ્તિ ન થાય,