________________
શ્રી અરિહંતદેવના દર્શન સબંધી શકા—સમાધાન.
શંકા—દેવદર્શનની ક્રિયા નિષ્ફળ છે? સમાધાન—દેવદનની ક્રિયા નિષ્ફળ છે, એમ કહેવું ખાટુ' છે. દેવદર્શનથી પ્રત્યક્ષ શુભભાવ ઉત્પન્ન થાય છે અને શુભભાવથી જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષય થાય છે. શકા—દેવદર્શનથી પ્રત્યક્ષ શુભભાવ ઉત્પન્ન થાય છે, એવા એકાંત નથી. કેટલાકને અશુભભાવ પણ ઉત્પન્ન થાય છે. સમાધાન—અશુભભાવ ઉત્પન્ન થવાનુ કારણ તેમની અજ્ઞા નતા છે, જેઓ સભ્યજ્ઞાનપૂર્ણાંક દેવનું સ્વરૂપ સમજી ઉપચાગ અને વિધિપૂર્ણાંક દેવદર્શન કરે છે, તેને અવશ્ય શુભભાવ ઉત્પન્ન થાય છે. શંકા—આજકાલ વિધિપૂર્વક કેાઈ દર્શન કરતુ' નથી. જેએ દર્શન કરે છે, તેમાંના ઘણા ખરા તે દેવનુ સ્વરૂપ સમજતા નથી અને જેએ થાડુ ઘણું સમજે છે, તે પશુ ઉપયોગ વિના-રૂઢિ માત્રથી જેમ તેમ ક્રિયા કરી આવે છે.