________________
૩૪૫ છે. તેથી નિગમ નયના મતે આદિધાર્મિકની અસપ્રવૃત્તિ પણ સપ્રવૃત્તિ જ ગણાય છે. કારણ કે તે સત્રવૃત્તિની બાધક નહિ પણ સાધક જ હોય છે. શરત એટલી જ છે કે તેનું હૃદય તાવનું વિરોધક નહિ હોવું
જોઈએ, કિન્તુ અવિરેધક હેવું જોઈએ. શંકા-તત્વનું અવિરેાધક હદય કોને કહેવાય? સમાધાન-શાસ્ત્રોમાં એવા હૃદયવાળાને અપુનબંધક આદિ
શબ્દોથી સંબોધ્યા છે. અપુનબંધક આત્મા તેને કહે. વાય છે કે જે અતિતીવ્રભાવે પાપને કરતે નથી, જેને ભવને રાગ-બહુમાન હોતું નથી અને જે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિને આચરનારે હોય છે. એવા માર્ગોનુનુસારી આત્માની અનાગવાળી અને અવિધિવાળી ધર્મક્રિયા પણ “સદન્શન્યાય”થી માર્ગમાં લઈ જનારી છે અપુનબંધક આત્માની પ્રવૃત્તિનું વર્ણન કરતાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે કે
“તે અકલ્યાણમિત્રના યાગનો ત્યાગ કરનારે હોય છે. કલ્યાણમિત્રના ચંપકને સાધનારે હોય છે. માતાપિતાદિ ગુરુજનનું સન્માન કરનાર હોય છે. તેમની આજ્ઞાને પરતંત્ર રહેનારો હોય છે. દાનાદિ કાર્યોમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરનારો હોય છે. વિધિપૂર્વક ધર્મશાસ્ત્રને સાંભળનારે હોય છે. મહાપ્રયત્નપૂર્વક તેને વિચાર કરનારે હોય છે. શક્તિને
૧-પ્રજ્ઞાવાન દેખતાની પાછળ આંધળાએ ચાલવું, તે “સદ ન્યાય' કહેવાય છે.