________________
૩૩૮
જગતની અનાદિકાળની ભાવદ્રિતાને તેમણે ટાળી છે. અનંત કાળથી ભૂલાઈ ગયેલી જીવની અકૃત્રિમ-બૂટઆંતરિક લક્ષ્મી તેમણે દેખાડી છે અને ભવ્ય જીવાને તેનું ભાન કરાવ્યુ છે, તેમણે બતાવેલા માર્ગના આરધનથી જીવને આ દુઃખમય સંસારમાં પણ સુખના અનુભવ થાય છે. એવા અનુપમ ઉપકારીની પૂજા કરનારા આત્મા ઉપકારીના ઉપકારને હૃદયમાં ધારણ કરી કૃતજ્ઞતા ગુણનુ પાલન કરી ધ પ્રાપ્તિને લાયક બને છે.
૩ વિનય
વિનીયતે ાનીયતે વિછીયતે વા લઘુત્રાર ર્મ ચેન સવિનયઃ । ' આઠ પ્રકારના ક્રમ જેનાથી દૂર થાય, નાશ પામે, તે શ્રી જૈનસિદ્ધાન્તાનુસાર વિનય કહેવાય છે. તે વિનય સવ* ગુણેાનુ' મૂળ છે. વિનય રહિત આત્માના ધર્મ કે તપ પણ નિષ્ફળ માન્યા છે. વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર, ચારિત્રથી મેક્ષ અને માક્ષથી અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે, એ વિનય શાસ્ત્રોમાં પાંચ પ્રકારનેા કહ્યો છે. જ્ઞાનવિનય, દવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઉપચારવિનય ઉપચારવિનય એ પ્રકારના છે. પ્રતિરૂપ ઉપચાર અને અનાશાતનારૂપ ઉપ ચાર. પ્રતિરૂપ ઉપચારના ત્રણ પ્રકાર છે. કાયિક, વાચિક અને માનસિક. અનાશાતના ઉપચારના ચાર પ્રકાર છે. અનાશા તના ( હીલનાના ત્યાગ ), ભક્તિ ( માહ્ય પ્રતિપત્તિ રૂપ), અહુમાન ( આન્તરિક ભાવપ્રતિબન્ધ રૂપ) અને પ્રશસા (સદ્ભૂત ગુણેાના કીત્તનરૂપ)-શ્રી જિનેશ્વરદેવની પૂજામાં એ પાંચ પ્રકારના વિનય સચવાય છે અને એના ફળરૂપે અપૂર્વ જ્ઞાન, અપૂર્વ દન, અપૂર્વ ચારિત્ર અને અપૂર્વ તપ આદિ ગુણ્ણાની પ્રાપ્તિ થાય છે.