________________
છે, અન્ય પાસે કરાવ્યું છે, અને તે ગુણનું નિરંતર પાલન થતું રહે તેવા પ્રકારનું તીર્થ જગતમાં સ્થાપીને અને અવ્યાબાધ પદને વરેલા છે. એમનાથી અધિક ગુણવાન આ જગતમાં બીજા કોઈ છે નહિ. એવા અનંતગુણી શ્રી જિને ધદેવના પૂજનને અધ્યવસાય પણ અનંત ફળને આપનાર છે, તે પછી તે પૂજનની પ્રવૃત્તિ અને પ્રાપ્ત સામગ્રીને પૂજન માટે સદુપયોગ, તેથી પણ અનંત લાભને આપનાર થાય, તેમાં આશ્ચર્ય જ શું? તેમાં શરત માત્ર એટલી જ છે કે તે પૂજન લૌકિક લેભ લાલચથી નહિ પણ ગુણ બહુમાનના આશયથી ગુણ બનવા માટે હેવું જોઈએ.
૨ કૃતજ્ઞતા–બીજા તરફથી આલેક સંબંધી કે પરલોક સંબંધી થોડો પણ ઉપકાર પિતાના ઉપર થયે હોય, તેને ન ભૂલ, તે કૃતજ્ઞતા ગુણ છે. શ્રી જિનેશ્વરદેવ તરફથી જગતના તમામ જીવે ઉપર જે ઉપકાર થયે છે, તે વર્ણનાતીત છે. જગતમાં જન્મ આપનાર માતાપિતાને ઉપકાર, આજીવિકાનું સાધન પૂરું પાડનાર સ્વામીને ઉપકાર અને લૌકિક વિદ્યા શીખવનાર વિદ્યાગુરુને ઉપકાર વિગેરે દુપ્રતિકાર મનાય છે અને તેમાં પણ સદ્ધર્મને પમાડનાર ધર્મગુરુ-સદગુરુને ઉપકાર અત્યંત દુપ્રતિકાર મનાય છે. કોઈ પણ પ્રકારે તે ઉપકારને બદલે વળી શકતા નથી. શ્રી જિનેશ્વરદેવેને ઉપકાર તે તે તમામથી ચઢી જાય તે છે. માતા, પિતા, સ્વામી, કલાગુરુ કે ધર્મગુરુને ઉપકાર તે તેમને આ જન્મમાં કે અન્ય જન્મમાં ધર્મ