SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરિહંતદેવના દર્શન સબંધી શકા—સમાધાન. શંકા—દેવદર્શનની ક્રિયા નિષ્ફળ છે? સમાધાન—દેવદનની ક્રિયા નિષ્ફળ છે, એમ કહેવું ખાટુ' છે. દેવદર્શનથી પ્રત્યક્ષ શુભભાવ ઉત્પન્ન થાય છે અને શુભભાવથી જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષય થાય છે. શકા—દેવદર્શનથી પ્રત્યક્ષ શુભભાવ ઉત્પન્ન થાય છે, એવા એકાંત નથી. કેટલાકને અશુભભાવ પણ ઉત્પન્ન થાય છે. સમાધાન—અશુભભાવ ઉત્પન્ન થવાનુ કારણ તેમની અજ્ઞા નતા છે, જેઓ સભ્યજ્ઞાનપૂર્ણાંક દેવનું સ્વરૂપ સમજી ઉપચાગ અને વિધિપૂર્ણાંક દેવદર્શન કરે છે, તેને અવશ્ય શુભભાવ ઉત્પન્ન થાય છે. શંકા—આજકાલ વિધિપૂર્વક કેાઈ દર્શન કરતુ' નથી. જેએ દર્શન કરે છે, તેમાંના ઘણા ખરા તે દેવનુ સ્વરૂપ સમજતા નથી અને જેએ થાડુ ઘણું સમજે છે, તે પશુ ઉપયોગ વિના-રૂઢિ માત્રથી જેમ તેમ ક્રિયા કરી આવે છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy