________________
૫૪
जो पूएइ तिसंग्झं, जिणिंदरायं तहा विगयदोस । सो तइयभवे सिझइ, अहवा सत्तटुमे जम्मे ॥ १॥
જે ભવ્યાત્મા રાગદ્વેષથી રહિત એવા જિનેશ્વર પરમાત્માની ત્રણે સંધ્યાએ પૂજા કરે છે, તે ત્રીજે ભવે અથવા સાતમે યા આઠમે ભવે સિદ્ધ થાય છે-મુક્તિમાં જાય છે. (૧૧)
यन्मयोपार्जितं पुण्यं जिनशासनसेवया । जिनशासनसेवैव, तेन मेऽस्तु भवे भवे ॥ १२ ॥
શ્રી જિનશાસનની સેવા વડે મેં જે પુણ્ય મેળવ્યું છે, તે પુણ્ય વડે મને ભભવ શ્રી જિનશાસનની સેવા મળો.(૧૨)
अद्य मे सफलं देहमद्य मे सफलं बलम् ।। नष्टानि विध्नजालानि, जिनेन्द्र ! तव दर्शनात् ।। १३ ।।
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારું શરીર સફળ બન્યું, મારું બળ સફળ બન્યું અને મારો વિન– સમૂહ નાશ પામ્યા. (૧૩)
अद्य मे सफलं जन्म प्रशस्तं सर्वमङ्गलम् । भवार्णवं च तीणीऽहं जिनेन्द्र ! तव दर्शनात् ।। १४ ।।
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારો જન્મ સફલ થયે, સર્વ મંગલે પ્રશસ્ત થયા અને સંસાર સમુદ્રને હું તરી ગયા. (૧૪)