________________
બને, એ કરતાં ભગવાન બને એ શ્રેષ્ઠ છે, એવું એનું તાત્પર્ય છે. આવી વિશુદ્ધ ભક્તિની યાચના વ્યક્તિનાં ફળ રૂપે કરવી, એ હવૃદ્ધિના હેતુરૂપ નથી, પણ મોહનાશના જ કારણભૂત છે, તેથી પ્રશસ્ત છે અને પ્રશસ્ત અધ્યવસાયને પેદા કરનાર છે. "दुक्खक्खओ कम्मक्खओ, समाहिमरणं च बोहिलाभो अ । संपज्जउ मह एअं, तुह नाह पणामकरणेण ॥ ४ ॥
હે નાથ ! આપને પ્રણામ કરવાના પ્રભાવે મને દુઃખક્ષય, કર્મક્ષય, સમાધિમરણ અને બધિલાભની પ્રાપ્તિ થાઓ. ૪.
પ્રણામ એટલે પ્રકૃષ્ટ નમન. કાથાથી નમન, વચનથી સ્તવન અને મનથી સતચિંત્વન, અથવા મન-વચન-કાયાથી અનુકળ વર્તન, એ નમનની પરાકાષ્ઠા છે; એ ઉત્કૃષ્ટ ભાવ વંદન છે. ભગવાનને ભાવવંદન એ પણ એક વસ્તુ છે, અને કોઈ પણ વસ્તુ તેના સ્વભાવથી રહિત હોતી નથી. ભાગવાનને વિશુદ્ધભાવથી નમન સ્વરૂપ વસ્તુને સ્વભાવ કે છે, તે આ ગાથામાં વર્ણવાય છે. ભગવાનનું નમન તેના સ્વભાવથી જ દુઃખને ક્ષય, (દુઃખના કારણભૂત) કર્મને ક્ષય, (કર્મક્ષયના અસાધારણ કારણ સ્વરૂપ) સમાધિમરણ અને સમાધિમરણના અદ્વિતીય સાધનરૂપ બોધિ એટલે જિનપ્રણીત ધર્મના અચળ રાગસ્વરૂપ લાભને અપાવનારે છે.
પ્રણામથી બાધિ, વ્યાધિથી સમાધિ, સમાધિથી કર્મ ક્ષય અને કર્મક્ષયથી દુઃખક્ષય, એ રીતે ક્રમશઃ ઉત્કૃષ્ટ પદાર્થોને લાભ વીતરાગના પ્રણામથી સિદ્ધ થાય છે.