________________
૩૧
ઉપયાગ, (૨) અર્થાલ'ખન-ખેલતી વખતે સૂત્રના અર્થમાં જ ઉપયાગ અને (૩) પ્રતિમાદિ આલંબન-જેની આગળ ચૈત્યવંદનાદિ કરવામાં આવે છે, તે પ્રતિમાદિને વિષે જ ષ્ટિ અને ચિત્તની એકાગ્રતા.
-ત્રણ મુદ્રા, (૧) ચેોગમુદ્રા-આંગળીઓને પરસ્પર અંતરિત કરી ક્રમળના ડાડાના આકારે અને હાથને એકત્ર કરવા અને બંને હાથની કાણીઓને પેટ ઉપર સ્થાપન કરવી, (૨) જિનમુદ્રા-કાઉસગ્ગ વિગેરેમાં ઉભા રહેતી વખતે ભૂમિ ઉપર એ પગના આગળના ભાગ ચાર અ'ગુલ અંતરવાળા રહે અને પાછળના ભાગ તેથી કાંઇક ન્યૂન અંતરવાળા રહે તેમ રહેવુ અને (૩) મુક્તાણુક્તિ મુદ્રામુક્તા એટલે માતી અને શુક્તિ એટલે છીપ, માતીની છીપના આકારે અને હાથને સરખી રીતે અને મધ્યમાં ઉન્નત રહે એ રીતે રાખી કપાળે લગાડવા. આ મુદ્રા વડે ‘ જાવ'તિ॰ ' ‘ જાવંત॰ ’અને ‘જય વીયાય' સૂત્ર કહેવામાં આવે છે.
૧૦-ત્રણ પ્રણિધાન, (૧) ચૈત્યવંદન સ્વરૂપ - જાવતિ ચેઇયાઇ′ (૨) મુનિ વંદન સ્વરૂપ ‘જાવંત કવિ ગ્રાહ્' અને (૩) પ્રાથના સ્વરૂપ ‘જય વીયરાય ’—એ ત્રણ સૂત્રાને ‘પ્રણિધાન ત્રિક' કહેવાય છે. આમાં બે સૂત્રેાથી અનુક્રમે ત્રણે લેાકમાં રહેલાં ચૈત્યાને તથા અઢી દ્વીપમાં રહેલા મુનિએને નમસ્કાર થાય છે તથા ત્રીજા સૂત્રથી વીતરાગ પરમાત્મા પાસે ભવનિવેદાદિ આઠ વસ્તુઓની પ્રાથના કરવામાં આવે છે.