________________
જિનમંદિરમાં શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ વખતે સાચવવાના ૧૦ ત્રિક
આદિની સમજ. વિધિપૂર્વક શ્રીજિનમંદિરમાં પ્રવેશ કરવો જોઈએ તથા પ્રવેશ કર્યા બાદ ત્રણ પ્રદક્ષિણા ત્રણ પ્રણામ, ત્રણ દિશાએ જેવાને ત્યાગ તથા પગ મૂકવાની અને બેસવાની ભૂમિને ત્રણ વાર પ્રમાજન, ઈત્યાદિ વિધિને જાળવવી જોઈએ. તે વિધિનું ઉલ્લંઘન કરવું તે પણ એક પ્રકારની આશાતના જ છે. તેથી તે આશાતનાને વર્જવાના અર્થો આત્માઓએ શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરવાની અને પ્રવેશ કર્યા બાદ દર્શન અને પૂજન આદિ કરવાની સમગ્ર વિધિને સમજી લઈને તેના અમલને પ્રયત્ન કરવો જોઈએ, એ વિધિને શાસ્ત્રોમાં “દશ ત્રિક” અને “પાંચ અભિગમ” આદિ શબ્દથી ઓળખાવેલ છે.
દશ ત્રિકનાં નામ અનુક્રમે નીચે મુજબ છે – ૧-ત્રણ નિસહિ, ઘર, દહેરાસર અને દ્રવ્યપૂજા સંબંધી વ્યાપારના ત્યાગ માટે અનુક્રમે ત્રણ સ્થાને નિસીહ કહે