________________
૩૩૨
" સર્વત્ર મન વચન અને કાયાની એકાગ્રતા રાખવી, તેને પણ “પ્રધાન ત્રિક' કહેવાય છે.
પાંચ અભિગમના નામ અનુક્રમે નીચે મુજબ છે. “અભિગમ વિધિ” એટલે “શ્રી જિનેશ્વરદેવની સન્મુખ જવાની વિધિ–
૧-સચિત્ત દ્રવ્યને ત્યાગ-શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરતી વખતે પોતાને સૂંઘવાનાં પુ તથા પહેરેલી પુષ્પની માળા વિગેરે સચિત્ત દ્રવ્ય બહાર મૂકીને પ્રવેશ કરે. અચિત્ત વસ્તુઓ પણ પિતાને ખાવા-પીવાની કે સૂઘવાની હેય તે પ્રભુની દષ્ટિ ન પડે તેમ ચાની બહાર મૂકીને અંદર જવું,
૨–અચિત્ત દ્રવ્યને–અત્યાગ, પહેરેલાં અલંકાર, વસ્ત્ર અને રૂપાનાણુ ઈત્યાદિ અચિત્ત દ્રવ્ય ન છોડવાં તે. તેને ઉતારીને જવાથી ધર્મની શોભામાં અભિવૃદ્ધિ થતી નથી તેમ જ અંગ ઉપર ધારણ કરી રાખવાથી ધર્મ અને શાસનની શોભા વધે છે.
૩-મનની એકાગ્રતા-પ્રભુનું બિંબ દષ્ટિએ પડતાંની સાથે જ બીજા વિચારોને ત્યાગ કરી ચિત્ત તેને વિષે જ એકાગ્ર કરવું.
૪-ભૂમિ પ્રમાર્જન માટે, બંને છેડે દશીઓવાળું અને વચ્ચે સાંધા વિનાનું એકશાટી ઉત્તરસંગ અર્થાત્ ખેસ રાખો.
પ-મસ્તકે અંજલિ-શ્રી જિનેશ્વરદેવનાં દર્શન થતાંની સાથે મસ્તકે બે હાથ જોડીને પ્રણામ કરે.