________________
આ પાંચ અભિગમ સામાન્ય દ્ધિવાળા શ્રાવકો માટે છે. મટી ઋદ્ધિવાળા રાજા વિગેરે શ્રાવકો માટેનાં પાંચ અભિગમ જુદાં છે. દર્શન કરવા આવનાર રાજા હોય તે તેણે પિતાનાં રાજચિહ્નો છોડીને જ મંદિરમાં પ્રવેશ કર. આ રાજચિહ્નો પાંચ પ્રકારનાં છે, તેથી મહદ્ધિક સજા વિગેરે માટેનાં અભિગમ પણ પાંચ પ્રકારનાં છે. (૧) ખડ્યું, (૨) છત્ર, (૩) ઉપનિહ, (૪) મુકુટ અને (૫) ચામર એ પાંચ રાજચિહ્નો ત્યાગ કરીને જ ચૈત્યમાં પ્રવેશ કરે. - ત્રિભુવનના રાજા દેવાધિદેવ શ્રી જિનેન્દ્ર પ્રભુની સન્મુખ જવાનું છે, તેથી તેમની સન્મુખ પિતાનું રાજાપણું બતાવવું તે અત્યંત અનુચિત અને અવિનય સ્વરૂપ છે. તેમની સન્મુખ તે સર્વ કેઈએ પિતાને સેવકભાવ જ દર્શાવવાને હોય છે. કારણ કે-ત્રિલોકનાથ પ્રભુના સેવક બનવું. એ પણ ભાગ્યદયની નિશાની છે.
શ્રી જિનચૈત્યમાં સાચવવા અને આચરવા યોગ્ય બીજા પણ ઘણા વિધાન છે. તે વિધાનું ઉલ્લંઘન કરવું એ પણ એક પ્રકારની આશાતના જ છે.
શ્રી જિનેશ્વરદેવના મંદિરમાં જઘન્યથી ૧૦ પ્રકારની આશાતના, મધ્યમથી ૪૨ પ્રકારની આશાતનાઓ અને ઉત્કૃષ્ટથી ૮૪ પ્રકારની આશાતનાઓ ટાળવાની હોય છે. તેને ગુરુગમથી સમજી તેને ટાળવા માટે પ્રયત્નશીલ રહેવું તે આરાધક માત્રનું કર્તવ્ય છે.