________________
૩૨૦
આ પાંચ મહાતીર્થો ઉપરાંત તારંગાજી ઉપર શ્રી અજિતનાથ પ્રભુ, ચંપાનગરીમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી, પાવાપુરીમાં શ્રી મહાવીરસ્વામી, શંખેશ્વર પાશ્વનાથ, સ્તંભન પાર્શ્વનાથ, જિરાફેલા પાર્શ્વનાથ, અંતરીક્ષ પાર્શ્વનાથ, પંચાસરા પાર્શ્વનાથ, સુલતાના પાર્શ્વનાથ, લેણુ પાર્શ્વનાથ, દર્ભાવતી પાર્શ્વનાથ, નાંદીયા, દીયાણુ, બામણવાડજી આદિ નાની પંચતીર્થી, રાણકપુરજી, મૂછાળા મહાવીર, નાડલાઈ, નાડેલ, વાકાણુજી આદિ મટી પચતીથમાં તથા સકલતીર્થ-જગચિંતામણિ વગેરેમાં સ્તવાયેલા શાશ્વતાઅશાશ્વતા-સઘળાં તીર્થો-ચૈત્ય-જિનબિ સહુને હું અહીં રહ્યો રહ્યો પણ નિત્ય પ્રણામ કરું છું. સહુને મારી કોટી કોટી વંદના હેજે.
દ્રવ્ય-જિનને વંદના. દ્રજિન એટલે રૂષભાદિક ભગવતે કે જેઓ તીર્થ કરપદ અનુભવીને મોક્ષમાં ચાલી ગયા છે, તથા જેઓ હજુ તીર્થકર થયા નથી પરંતુ ભવિષ્યમાં થવાના છે તેવા શ્રેણીક પ્રમુખના છે, તે સર્વને હું તેમના ભાવિના તીર્થ કરત્વની અપેક્ષાએ કોટી કોટી વંદના કરું છું.
ભાવ-જિનને વંદના. હવે સમવસરણને વિષે તીર્થકર નામકર્મના વિપાકને ભોગવી રહેલા ભાવજિનેને હું વાંદું છું. તે વીશ વિહર.