________________
૩૫૨ પ્રભાવને લીધે તેમની પૂજા, સેવા, ભકિત, વેદના અને સ્તવન કરવાનું અનેક જીવોને મન થાય છે અને એ રીતે તેમની ભક્તિ કરનારા તેમના સરખા પૂજનિક થાય છે. વધારે શું કહીએ! ઘણું જેને સંસારના ફલેશથી જેમણે મૂકાવ્યા છે-અનંતા આત્માઓ જે મોક્ષમાં ગયા છે, જાય છે, અને જશે-એ બધે એમને જ ઉપકાર છે, તે વિદ્યમાન વિચરતા ચેત્રીશ અતિશય સંપન્ન ભાવ તીર્થકર પ્રભુને હું કેટી કોટી વંદના કરું છું.
- આ તારક જિનેશ્વર પરમાત્માઓએ સંસારના પ્રાણી માત્રને શાશ્વત સુખી કરવાની “સવિ જીવ કરું શાસનરસી” આ મહાભાવના સેવીને ઉત્કટ પરમાર્થ વૃત્તિયુક્ત અહંત આદિ પદની આરાધના કરી તીર્થકર નામકર્મ નિકાગ્યું, અહો આ મહાપ્રભુની કેવી અગાધ કરુણું છે, કેવું એમનું વિશ્વ વાત્સલ્ય છે, કે મહાન્ એમને અનુગ્રહ છે, હું એને પાત્ર થાઉં એ જ મારી સ અભિલાષા છે. અહા ! આ ભગવન્ત જ્યાં સાક્ષાત વિચરી રહ્યા છે, ધન્ય છે તે ગામ, નગર અને ભૂમિને, પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં પ્રભુના ચરણકમળ નીચે દેવતાએ સુવર્ણકમળને સંચાર કરે છે, આકાશમાં અદ્ધર ધર્મચક, અશોકવૃક્ષ, સિંહાસન વગેરે ગતિ કરે છે, પ્રભુને દેવતાઓ ચામર વીંજે છે, આકાશમાં દેવતાઓ દુદુભી વગેરે વાત્રે વગાડે છે, જન સુધી ભૂમિ ઉપર સુગંધી જલ છંટકાવ કરે છે, પ્રભુ પધારે છે ત્યાં વિમાનિક આદિ દેવતાઓ રત્ન વગેરેના ગઢવાળું સુંદર