SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ પ્રભાવને લીધે તેમની પૂજા, સેવા, ભકિત, વેદના અને સ્તવન કરવાનું અનેક જીવોને મન થાય છે અને એ રીતે તેમની ભક્તિ કરનારા તેમના સરખા પૂજનિક થાય છે. વધારે શું કહીએ! ઘણું જેને સંસારના ફલેશથી જેમણે મૂકાવ્યા છે-અનંતા આત્માઓ જે મોક્ષમાં ગયા છે, જાય છે, અને જશે-એ બધે એમને જ ઉપકાર છે, તે વિદ્યમાન વિચરતા ચેત્રીશ અતિશય સંપન્ન ભાવ તીર્થકર પ્રભુને હું કેટી કોટી વંદના કરું છું. - આ તારક જિનેશ્વર પરમાત્માઓએ સંસારના પ્રાણી માત્રને શાશ્વત સુખી કરવાની “સવિ જીવ કરું શાસનરસી” આ મહાભાવના સેવીને ઉત્કટ પરમાર્થ વૃત્તિયુક્ત અહંત આદિ પદની આરાધના કરી તીર્થકર નામકર્મ નિકાગ્યું, અહો આ મહાપ્રભુની કેવી અગાધ કરુણું છે, કેવું એમનું વિશ્વ વાત્સલ્ય છે, કે મહાન્ એમને અનુગ્રહ છે, હું એને પાત્ર થાઉં એ જ મારી સ અભિલાષા છે. અહા ! આ ભગવન્ત જ્યાં સાક્ષાત વિચરી રહ્યા છે, ધન્ય છે તે ગામ, નગર અને ભૂમિને, પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં પ્રભુના ચરણકમળ નીચે દેવતાએ સુવર્ણકમળને સંચાર કરે છે, આકાશમાં અદ્ધર ધર્મચક, અશોકવૃક્ષ, સિંહાસન વગેરે ગતિ કરે છે, પ્રભુને દેવતાઓ ચામર વીંજે છે, આકાશમાં દેવતાઓ દુદુભી વગેરે વાત્રે વગાડે છે, જન સુધી ભૂમિ ઉપર સુગંધી જલ છંટકાવ કરે છે, પ્રભુ પધારે છે ત્યાં વિમાનિક આદિ દેવતાઓ રત્ન વગેરેના ગઢવાળું સુંદર
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy