________________
૩૦૬ છે મુક્તિ એ સાધ્ય છે અને ભક્તિ એની સાધક છે. સાચી ભક્તિ એ મુક્તિનું શ્રેષ્ઠ સાધન છે. મુક્તિના સાચા રસિયાઓ મુક્તિ કરતાં પણ ભગવાન (વીતરાગ)ની ભક્તિને અધિક ચાહે છે.
પૂ. મહોપાધ્યાય શ્રી યશેવિજયજી ગણિવર એક સ્થળે ફરમાવે છે કે –
મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી; જેહશું સબળ પ્રતિબંધ લાગ્યો; ચમક પાષાણ જેમ લેહને ખીંચશે,
મુક્તિને સહજ તુજ ભક્તિ રાગે.” ૧ કવિ શ્રેષ્ઠ ધનપાળ પંડિત પણ એક સ્થળે કહે છે કે" होही मोहुच्छेओ, तुह सेवाए धुवत्ति नंदामि ।
जं पुण न वंदियव्यो, तत्थ तुमं तेण झिज्जामि ॥१॥ આપની સેવાથી મારા મોહને અવશ્ય નાશ થશે, એથી હું આનંદ પામું છું; પણ પછી હું આપને વંદન કરવા યોગ્ય નહિં રહું, તેથી અત્યંત ખેદ પામું છું. ૧
મહાશથી કેવળજ્ઞાન અને મોક્ષ મળશે પણ પછી ભગવાનની ભક્તિ કયાં મળી શકશે? આ વાતને ઉપલા કાવ્યમાં ખેદ બતાવ્યા છે. એ ખેદ એમ સૂચવે છે કે ભગવાન ઉપરને મોહ એ મેહનાશ કરતાં પણ એક અપેક્ષાએ કીંમતી છે. મહિને નાશ થાય છે તે સારી જ વસ્તુ છે, પણ નાશ ન થાય ત્યાં સુધી મોહનું સ્થાન દુનિયા