________________
૩૦૪
પ્રાથનાને નિર'તર કરવાથી જે માટા ફાયદા થાય છે તેને શાસ્ત્રકારોએ સક્ષેપથી નીચે મુજબ પાંચ વિભાગમાં વહેંચી બતાવ્યા છે.
(૧) પ્રવચનની આરાધના, (૨) સન્માની દૃઢતા, (૩) કતવ્યતાના નિશ્ચય, (૪) શુભાશયની વૃદ્ધિ તથા (૫) સાનુબંધ-શુભ અનુષ્ઠાનની પ્રાપ્તિ
આ પાંચમાં પણ મુખ્ય પ્રથમ વિભાગ છે, પ્રવચન એટલે (વીતરાગ અને તેનુ') શાસન, તેની આરાધના એટલે તેના ઉપકારની અખંડ સ્મૃતિ રહે, તે જાતિનુ વતન. શાસનના ઉપકાર આપણા ઉપર અને સમગ્ર વિશ્વ ઉપર અતિ મહાન છે. જે કાંઈ સારૂ આ દુનિયામાં દેખાય છે, તે એ શાસનની આરાધનાના પ્રતાપ છે. અને જે કાંઈ નરસુ. આ દુનિયામાં દેખાય છે કે મળે છે, તે એ શાસ નની વિરાધનાનું ફળ છે, સારી વસ્તુ પુણ્ય વિના મળતી નથી અને પુણ્ય એ સત્યાય વિના બંધાતું નથી. સત્કાર્ય કરવાની પ્રેરણા જીવને સ્વય થતી નથી. એ પ્રેરણા જેનાથી મળે છે તેનું જ નામ ‘શાસન' છે. દેવ-ગુરુ-શાસ્ત્ર-સધ ચૈત્ય-તીય કે સત્પુરુષ જે કાઈ સત્કાર્યાંની પ્રેરણા માટે આ વિશ્વમાં આલેખનસ્વરૂપ છે, તેનુ મૂળ ઉત્પાદન સાક્ષત્ કે પર‘પરાએ શ્રી જૈનશાસન સિવાય બીજા કાઈથી નથી. તેથી ખધા જ જવા ત્રણે કાળમાં એ શાસનના ઉપકાર તળે દબાયેલા છે અને એના પ્રતાપે જ સુખ અનુભવી રહ્યા છે, એમ કહેવું જરાપણ ખાટુ નથી. એ દૃષ્ટિએ એ શાસનને