________________
૧૦
પરમ શ્રેષ્ટિએ સ્વરૂપ પરમેષ્ટિએ, એ શ્રી જૈનશાસનની પેદાશ છે, તેથી શ્રી જેનશાસન એ ગુણરત્નોની ખાણ અને પુણ્ય પુરુષનું નિધાન બની જાય છે.
તે જ કારણથી એ સર્વ કલ્યાણનું કારણ છે. કલ્ય એટલે સુખ, તેને લાવે તે કલ્યાણ, સુખને લાવનારાં જેટલાં સાપને આ વિશ્વમાં છે, તે સાક્ષાત્ કે પરંપરાએ શ્રી જૈન શાસનથી ઉત્પન્ન થયેલાં છે. સુખનું કારણ ધર્મ છે અને ધર્મની પ્રેરણા આપનાર શ્રી જૈનશાસન છે, તેથી શ્રી જૈનશાસન એ પ્રધાન અને શ્રેષ્ઠ ધર્મ બની જાય છે. અને તેથી જ ત્રણે કાળમાં ટકી રહેવાને સૌથી વધારે લાયક છે. ત્રણેય કાળ અને ત્રણેય લોકમાં ઉત્પન્ન થનારા ઉત્તમ આત્માએ તે જ ધર્મની આરાધના કરવા માટે સુસજજ રહે છે. દેવમાં ઈન્દ્ર, ચંદ્ર અને નાગેન્દ્રાદિની પદવીઓ, તથા મનુષ્યમાં બળદેવ, વાસુદેવ અને ચક્રવર્તી આદિનાં પદે અપાવનાર કેવળ એક શ્રી જૈનધર્મની આરાધના જ છે. આ લેકમાં અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિ, તથા પરલોકમાં મુકિત, મુક્તિ ન મળે ત્યાં સુધી સુગતિ, સુગતિ બાદ સુકુલ જન્મ અને સુકુલમાં પણ બધિરત્નાદિની પ્રાપ્તિ ભવ્ય અને થાય છે, તે બધુંય શ્રી જિનધર્મરૂપી ક૫તરુની આરાધનાનાં જ સુફળે છે. એવા શ્રી જૈનશાસનને વિજય ત્રણે ભુવનમાં સદાકાળ વિજયવંત છે.