________________
૩૦૮
વીતરાગને પ્રણામ કરવાની સામગ્રી સર્વ જીવોને સુલભ નથી. એ સામગ્રી શ્રી જૈનશાસનના સુગે પ્રાપ્ત થાય છે. વિશ્વમાં શ્રી જૈનશાસન જ ન હોય, તે વીતરાગ જ કયાંથી હોય?” “વીતરાગ” પણ જૈનશાસનની આરાધનાથી જ વીતરાગ” બને છે, ભવ્ય જીવોને “વીતરાગ” થવાની વ્યવસ્થિત સામગ્રી પૂરી પાડવાનું કાર્ય અનાદિકાળથી આ વિશ્વમાં એક શ્રી જૈનશાસન જ કરી રહ્યું છે, તેથી તે શાસનની મહત્તા ઘણી વધી જાય છે. “શાસન એટલે “તીર્થ અને “તીર્થ” એટલે “તરવાનું સાધન.” ભવ્ય આત્માઓને સંસારસાગર તરવાનું સાધન પૂરું પાડનાર આ “તીર્થ” જ છે. એ તીર્થ એટલે પ્રવચન, અને પ્રવચન એટલે દ્વાદશાંગી. તેને અર્થથી કહેનારા તીર્થંકરદેવ પણ તીર્થ છે. સૂત્રથી ગુંથનાશ ગણધર ભગવંત પણ તીર્થ છે, જ્ઞાન અને કિયા ઉભય સ્વરૂપે તેને ધારણ કરનાર સાધુ-સાધવી શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુવિધ શ્રી સંઘ પણ તીર્થ છે. એ બધાં જ તીર્થ છે તીર્થ સ્વરૂપ છે. એ પવિત્ર તીર્થરૂપી, જલની સેવન કોધરૂપી દાહને શમાવે છે, વિષયરૂપ તૃષા છીપાવે છે, અને મેહરૂપી પંકને શેષવે છે. ક્રોધને દાહ સમ્યકત્વને નાશક છે, વિષયની તૃષા જ્ઞાનની નાશક છે, તથા મહનો કાદવ જીવના નિષ્કલંક ચારિત્રગુણને કલંકિત કરે છે. જીવના નિર્મળ એવા દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મૂળ ગુણોને મલિન કરનાર જે કોધ, લેભ અને મોહાદિ દે છે, તે બધાયને નિગ્રહ કરવાનું સામર્થ્ય શ્રી જૈનશાસનરૂપી તીર્થની આરા ધનામાં રહેલું છે. એ પવિત્ર શાસનની નિર્મળ આરાધના