________________
“ચાર ગતિમાં નિત્ય ઉગ” એ ભવનિર્વેદનું સ્વરૂપ છે અને “આત્મસ્વરૂપમાં નિત્ય રમણ” એ સમસ્ત કર્મના ક્ષયથી મળતાં મોક્ષનું સ્વરૂપ છે. ભવમાં અનંત દુઃખ છે અને મોક્ષમાં અનંત સુખ છે. એ નિશ્ચય વીતરાગના આલંબનથી પણ કોઈક જ જીવને કોઈક જ કાળે થાય છે, અને એ થયા પછી એને સંસાર પરિભ્રમણ કાળ એકદમ ટુંકાઈ જાય છે. વીતરાગના આલંબનથી સાધવા લાયક જે કોઈ મોટામાં મોટું કાર્ય હોય તે તે એક ભવનિર્વેદ જ છે. અને તેથી સૌથી પ્રથમ માગણી વિતરાગની પ્રાર્થનામાં તેની જ કરવામાં આવે તો તે સર્વથા સુસંગત છે. હવે પછી બીજી જે જે પ્રાર્થનાઓ કરવામાં આવવાની છે, તે બધી ભવનિવેદને જ પિષણ આપવા માટે છે. તે બીજી પ્રાર્થનાઓ એક પછી એક હવે જોઈએ.
(૨) માર્થાનુસારિતા. હે ભગવન્ તારા સામર્થ્યથી મને જેમ ભવનિર્વેદ પ્રાપ્ત થાઓ તેમ માર્ગનુસારિતા–મેક્ષ માગને અનુસરવા પણું પ્રાપ્ત થાઓ. મોક્ષમાર્ગને અનુસરવાપણું જીવને ત્યારે જ થાય છે, કે જ્યારે તે અસદુગ્રહને વિજય કરનારો થાય છે. મોક્ષને સુખસ્વરૂપ અને ભવને દુઃખસ્વરૂપ તરીકે સમજવામાં બાધક કોઈ પણ ચીજ હોય તે તે આ અસંગ્રહ છે. અસદુગ્રહને આધીન થયેલ છવ મને અને સંસારને તેના યથાર્થ