________________
કારણભૂત પાંચ વિષય અને ચાર કષાયાદિ સ્વરૂપ છે. નરક અને તિર્યંચ ગતિઓ સાક્ષાત્ દુઃખોને ભંડાર છે. મનુષ્ય અને દેવગતિમાં પણ મોટે ભાગે ઈર્ષા, રોષ, વિષાદ તથા રોગ, શોક અને ઉપદ્રવની ચક્કીમાં પીસાવા સિવાય બીજું કાંઈ જ નથી. સુદેવ અને સુમનુષ્ય ગતિમાં યત્કિંચિત દેખીતું સુખ છે, પણ તેમાં આસક્ત થનારા જીવને ભવિ.
ખ્યામાં તે આકરાં કષ્ટોને આપનારા એવા અતિચીકણાં કને ઉપાર્જન કરાવવાનાં તીવ્ર હેતુએ રૂપ બને છે. ચારે ગતિએ માં વસીને તેમાં રહેલા સુખોને ભોગવવાની લાલસાથી
વે અસહ્ય કષ્ટોને અનંતીવાર સહ્યાં છે. ભવ અને ભવના સુખે પ્રત્યેને એ અગ્ય રાગ જ્યાં સુધી દૂર ન થાય, ત્યાં સુધી મોક્ષ અને મેક્ષના અનંતા સુખ માટે યત્ન કેવી રીતે થાય? જયાં સુધી ભવને રાગ ઘટે નહિ, ત્યાં સુધી મોક્ષને યત્ન થાય નહિ અને થાય તે પણ તેમાં જીવ આવે નહિ મોક્ષ માટેના યત્નમાં પ્રાણ પૂરવા માટે ભવવિરાગની પરમ અગત્ય છે. અને તે વીતરાગની પ્રાર્થનાથી જ સુશકય છે. વીતરાગ ભવથી સર્વાશ વિમુક્ત છે અને તેમનું સામર્થ્ય અચિત્ય છે. તેથી તેમની પ્રાર્થના ભવવિરાગને આપવામાં સમર્થ છે. ભવવિરાગ એ સૌથી મેટે સદગુણ છે. ભાવવિશગ અને મોક્ષરાગને જૈનશાસનમાં મેટો પેગ પણ કહે છે. એ બે વસ્તુ જેના અંત રમાં સ્થિર હોય છે, તેની બધી ધર્મક્રિયા અમૃતક્રિયા બની જાય છે.