________________
૨૯૪ નારા જગદગુરુ કહેવાય છે. તેવા જગશુરુઓના વિજયમાં યથાર્થ ઉપદેશને, કેવળજ્ઞાનને, અને (સર્વદેષરહિત સર્વ ગુણસહિત) વીતરાગતાને વિજય ઈરછાય છે. એ ત્રણેના વિજયમાં સત્યને વિજય રહેલ છે અને સત્યના વિજયમાં ત્રણ જગતને સાક્ષાત્ કે પરંપરાએ વિજય રહેલો છે.
વીતરાગ અને જગદગુરુને વિજય ઈચ્છવા પૂર્વક બુદ્ધિમાં તેમનું સન્નિધાન લાવવા માટે ફરીથી કહેવામાં આવે છે કે “હે ભગવન! તમારા પ્રભાવથી મને પ્રાપ્ત થાઓ.” શું? તે હવે પછી કહેવામાં આવશે.
(૧) ભવનિર્વેદ,
આ “જયવયરાય” સૂત્ર પ્રાર્થના સૂત્ર છે. એમાં વિતરાગ પાસે ભવનિર્વેદ આદિની માગણી રૂપ પ્રાર્થના કરવામાં આવી છે તે અહીં કમસર વિચારીએ.
હે ભગવન ! તમારા અનિત્ય સામર્થ્યથી મને ભવનિર્વેદ પ્રાપ્ત થાઓ. એ પ્રમાણે આ સૂત્રમાં સૌથી પ્રથમ માગણી ભવનિર્વદની કરવામાં આવી છે. ભવનિર્વેદ એટલે સંસાર પ્રત્યે અબહુમાન. ભવ પ્રત્યે અબહુમાન એ વાસ્તવિક રીતે ભગવાન પ્રત્યેનું જ બહુમાન છે.
ભવ એટલે સંસાર અને એ સંસાર દેવ, મનુષ્ય તિર્યંચ અને નરક એ ચાર ગતિએ અને તે ગતિઓમાં