________________
૫૩
હે જિનેશ્વર ! તું જ એક મને શરણ છે. તારા સિવાય બીજું કોઈ મારે શરણ છે નહિ. માટે દયાભાવથી મારું રક્ષણ કર ! મારું રક્ષણ કર ! (૭)
दर्शनेन जिनेन्द्राणां, साधूनां वन्दनेन च । ન ઉતzત વિરું પાપં, છિદ્રતે થોમ્ ૧ ૮ એ.
શ્રી જિનેશ્વર પરમાત્માનું દર્શન કરવાથી તથા સાધુ પુરુષોને વન્દન કરવાથી છિદ્રવાળા હસ્તમાં જેમ પાણી ટકતું નથી, તેમ લાંબા કાળ સુધી આત્મામાં પાપ ટકી શકતુ નથી (૮)
दर्शनात् दुरितध्वंसी, वन्दनाद् वांछितप्रदः । पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः ॥ ९॥
શ્રી જિનેશ્વર ભગવાનનું દર્શન પાપને નાશ કરે છે, શ્રી જિનેશ્વરોનું વંદન વાંછિત આપનારું થાય છે અને તેમનું પૂજન બાહ્ય અત્યંતર ઉભય પ્રકારની લક્ષમીને પૂરનાર બને છે. ખરેખર શ્રી જિનેશ્વર દેવ એ સાક્ષાત્ કટપદ્રમ-કલ્પવૃક્ષ છે. (૯)
धूपो निहन्ति पापानि दीपो मृत्युविनाशनः । नैवेद्यर्विपुलं राज्य, प्रदक्षिणा शिवप्रदा ।। १० ॥
શ્રી જિનેશ્વરને ધૂપ કરવાથી પાપ નાશ પામે છે, દીપ કરવાથી મૃત્યુ નાશ પામે છે, નૈવેદ્ય પૂજા વડે વિપુલ એવું રાજ્ય મળે છે અને પ્રદક્ષિણા એ મોક્ષને આપવાવાળી થાય છે. (૧૦)