________________
૨૬૫
થાઓ” એ શબ્દો વડે નમરકારની પ્રાર્થના માત્ર કરી છે. –ભાવ નમસ્કાર કરવાની અભિલાષા માત્ર દર્શાવી છે. કિન્તુ
ભાવ નમસ્કાર કરું છું” એવું મિથ્યાભિમાન દાખવ્યું નથી. એ જાતિની અભિલાષા એ જ ભાવ નમસ્કાર-બીજા શબ્દમાં ભાવધર્મનું બીજ છે. વિધિપૂર્વક વાવેલું બીજ જેમ અંકુરાદિને ઉપન્ન કરી ફલ પ્રાપ્તિ કરાવે છે, તેમ ધર્મબીજનું વપન પણ અનુક્રમે ધર્મચિન્તાદિ અંકુરા ઉત્પન્ન કરીને ફલસિદ્ધિને પ્રાપ્ત કરાવે છે. નમસ્કાર વડે ધર્મના નાયક અને ધર્મના સાધક એવા પુરુષના સદવત. નાદિની પ્રશંસા થાય છે અને એનું જ નામ ધર્મબીજનું વપન છે એ રીતે ધર્મ બીજનું વિધિપૂર્વક વપન થવાથીએમાંથી ધર્મચિન્તાદિ અંકુરા, ધર્મશ્રવણરૂપી સત્કાંડ, ધર્મા. નુષ્ઠાનરૂપ નાલ, દેવ-માનવની સંપદારૂપી પુછપ અને સિદ્ધિ ગતિરૂપી ફળની પ્રાપ્તિ થાય છે. ભાવ નમસ્કારના પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટાદિ અનેક ભેદો છે તેથી ભાવનમસ્કારવાલાને પણ ઉત્કૃષ્ટ ભાવનમસ્કારની પ્રાર્થના અને અભિલાષા હોય છે, તેથી તેમને પણ “નમસ્કાર થાઓ” એ વચન સુસંગત છે, અથવા “નમસ્કાર થાઓ” એ પ્રાર્થનાવચન “ઈચ્છાગ” રૂપ છે. લે કેત્તર માર્ગમાં ગમન કરવાવાળાને સૌથી પ્રથમ સાધન “ઈચ્છાગ” છે. ઈચ્છાગથી” “શાસ્ત્રગ” અને શાસ્ત્રોગથી સામથ્થ– યોગની અનુક્રમે પ્રાપ્તિ થાય છે. ફલસિદ્ધિને સાક્ષાત્ હેતુ
સામર્થ્યોગ છે. પરંતુ એ સામર્થ્યની પ્રાપ્તિ ઇચ્છા ચિગ અને શાસ્ત્રગ વિના થતી નથી. તમોથુ રિ