________________
૨૬૮
જ્ઞાન-ભગવાનને ગર્ભાવાસથી માંડી દીક્ષા અંગીકાર કરે ત્યાં સુધી નિર્મળ મતિ, શ્રુત અને અવધિ, એમ ત્રણ જ્ઞાન હોય છે. દીક્ષા લીધા બાદ ઘાતિ કર્મોને ક્ષય ન થાય ત્યાં સુધી ચોથું મન:પર્યવજ્ઞાન મલી ચાર જ્ઞાન હોય છે. ઘાતિ કને ક્ષય થયા બાદ અનઃ વસ્તુને વિષય કરનારું -સમસ્ત ભાવેને જણાવનારું પાંચમું કેવલજ્ઞાન પ્રગટ થાય છે.
માહાસ્ય-ભગવાનના પ્રશ્નાવને અતિશય–સર્વ કથાકોને વિષે નારકી અને સ્થાવરોને પણ સુખ ઉત્પન્ન કરનારો, નિરંતર ઘેર અંધારમય નરકોમાં પણ પ્રકાશ કરનાર, ગર્ભવાસમાં આવે ત્યારથી કુળમાં ધનાદિની વૃદ્ધિ કરનાર, અણનમ રાજાઓને પણ નમાવનારો, ઈતિ, મારિ, વિરાદિ ઉપદ્રવ રહિત, રાજ્યના સુખનો અનુભવ કરાવનાર, સમસ્ત દેશને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિ બાધાઓથી રહિત બનાવનાર તથા આસને ચલાયમાન થવાથી સકલ સુરાસુરના નમસ્કારને અપાવનારો હોય છે.
યશ-રાગ-દ્વેષ તથા પરીષહ અને ઉપસર્ગો ઉપર વિજય મેળવવાથી ભગવાનને યશ સદાકાળ પ્રતિષ્ઠિત થયેલો હેય છે. દેવલોકમાં દેવાંગનાઓ વડે તથા પાતાલકમાં નાગકન્યાઓ વડે ભગવાન નિરંતર સ્તુતિ કરાય છે.
વેરાગ્ય-દેવલોક અને રાજ્યનાં સુખ ભગવતી વખતે પણ પ્રભુને વિદાય કાયમ હોય છે. જ્યારે સર્વ વસ્તુના