________________
૨૭૮
યશભય. તેનાથી પ્રતિપક્ષ તે અભય આત્માનું વિશિષ્ટ સ્વાથ્ય-અન્ય લોકો જેને ધૃતિ કહે છે, તે ધર્મભૂમિકાનું કારણભૂત “અભય” તેને ભગવાન આપે છે કારણ કે અરિહંત ભગવંતે ગુણના પ્રકર્ષને પ્રાપ્ત થયેલા હોય છે, અચિન્ય શક્તિથી યુક્ત હોય છે તથા સર્વથા પરાર્થપરોપકાર કરવામાં રક્ત હોય છે.
રઘુરા-ચક્ષુ આપનારા. તસ્વબેઘના કારણભૂત વિશિષ્ટ આત્મધર્મને ચક્ષુ કહેવાય છે. બીજાએ તેને “શ્રદ્ધા” કહે છે. ચક્ષુવિહીનને જેમ વસ્તુતત્વનું દર્શન થતું નથી. તેમ શ્રદ્ધારૂપી ચક્ષુથી રહિતને પણ કલ્યાણકર વસ્તુ-તત્ત્વનું દર્શન થતું નથી. આ શ્રદ્ધા ધર્મક૯પવૃક્ષના અધ્યબીજભૂત છે અને તે ભગવાનથી જ પ્રાપ્ત થાય છે માટે ભગવાન તેને આપનાર છે.
મજાવરાળ-માગને આ પનારા. વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનાર સ્વાભાવિક ચોપશમવિશેષને માર્ગ કહેવાય છે. બીજાઓ તેને “સુખા' કહે છે. આ “સુખા'વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનાર ક્ષય પમવિશેષ, ભગવાનથી જ પ્રાપ્ત થાય છે, તેથી ભગવાન માર્ગના આપનાર છે.
સરળરયાળં-શરણને આપનારા. ભયથી પીડિતને રક્ષણ આપવું તે શરણ કહેવાય છે. બીજાએ તેને “વિવિદિવા” કહે છે. સંસારકાંતારમાં પડેલા અને અતિપ્રબળ રાગાદિથી