________________
સ્થાપના અરિહંતની ભક્તિ. अरिहंतचेइयाण करेमि काउस्सगं-वंदणवत्तियाए पूअणवत्ति. याए सकारवत्तियाए सम्मागवत्तियाए बोहिलाभवत्तियाए निरुवस. गवत्तिथाए, सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए वड्ढमा. णीए ठामि काउस्सगं ।'
“જયવીયરાય” સૂત્ર કહ્યા બાદ ઉભા થઈને સ્થાપના અરિહંતની ભક્તિ માટે જિનમુદ્રા વડે “અરિહંત ચેઈયાણું” ઈત્યાદિ સૂત્રને કહેવાનું હોય છે.
અરિહંત બાળ-પૂર્વોક્ત સ્વરૂપવાળા ભાવ અરિહે તેના પ્રતિમા લક્ષણ ચૈત્યને ચિત્ત એટલે અન્તકરણ તેને ભાવ અથવા કિયા, તેને ચૈત્ય કહેવાય છે. ચિત્ય ઘણા હોવાથી બહુવચનમાં મૂકયું છે. અરિહ તેની પ્રતિમા પ્રશસ્ત સમાધિવાલા ચિત્તને ઉત્પન્ન કરે છે અથવા અરિહતેની પ્રતિમાથી ચિત્તમાં પ્રશસ્ત સમાધિ ઉત્પન્ન થાય છે એટલા માટે તેને ચિત્ય કહેવાય છે. ચૈત્યોને રહેવાના સ્થાનને પણ ચૈત્ય ( જિનગૃહ-જિનમંદિર) કહેવાય છે. કારણ કે તે પણ પ્રશસ્ત સમાધિવાળા ચિત્તને ઉત્પન્ન કરે છે, તેને વન્દનાદિ કરવા માટે.