________________
અરિ એટલે સર્વ ને શત્રુભૂત એવા આઠ પ્રકારનાં કર્મો, તેને હણનારા અથવા “કરતા” કર્મરૂપી બીજ ક્ષય થવાથી સંસારમાં ફરી નહિ ઉત્પન્ન થનારા-તેમને નમસ્કાર થાઓ. તે અતે નામાદિ અનેક પ્રકારના હોય છે તેમાં ભાવ અહં'તનું ગ્રહણ કરવાને માટે બીજું “માવંતાળું ” એ પદ મૂકયું છે-બહુવચનને પ્રયાગ અહજત એક નથી પણ ઘણું છે એમ જણાવી સર્વ અહં તેને એક સાથે નમસ્કાર જણાવવા માટે છે.
માવંતા-ભગવંતેને– भगोऽर्कज्ञानमाहात्म्ययशोवैराग्यमुक्तिषु । रूपवीर्यप्रयत्नेच्छाश्रीधमैश्वर्ययोनिषु ॥१।।
એ શ્લોકથી “ભગ” શબ્દના ૧૪ અર્થ થાય છે. તેમાં પહેલે “અક” અને છેલ્લે “નિ” અર્થ છેડી બાકીના જ્ઞાનાદિથી માંડી ઐશ્વર્યા સુધીના બાર પ્રકારના અર્થ જેમને છે. તે ભગવંત કહેવાય છે.
* શક્રસ્તવમાં ભાવજિનેશ્વરેને નમસ્કાર છે તેથી નામાદિજિને નમસકરણીય નથી, એમ નહિ. શ્રી જૈનશાસનને સિદ્ધાંત છે કે
શુદ્ધભાવ જેહને છે તેહના, ચાર નિક્ષેપો સાચા જેહને ભાવ અશુદ્ધ છે તેહના,
એક કાચે સવિ કાચા, ૧ ઉપા૦ શ્રી યશોવિજયજી મ.