________________
૨૬૩ | શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ જગતના જીવનું કલ્યાણ કરનારી થાઓ ! (૩૬) " यास्याम्यायतनं जिनस्य लभते, ध्यायश्चतुर्थ फलं, षष्ठं चोस्थित उद्यतोऽष्टममथो गन्तुं प्रवृत्तोऽध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं, मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ, मासोपवासं फलम् ॥३७॥ શ્રદ્ધાળુ આત્મા–
શ્રી જિનમન્દિરે જવાનું ચિત્તવન કરતાં એક ઉપવાસના ફળને,શ્રી જિનમદિરે જવાને માટે ઉભે થયે એક છ તપના ફળને, શ્રી જિનમન્દિરે જવાની પ્રવૃત્તિ કરતે એક અમ તપના ફળને, શ્રી જિનમન્દિરની નજદિકમાં આવતાં ચાર ઉપવાસના ફળને, શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરતી વેળાએ પાંચ ઉપવાસના ફળને, શ્રી જિનમન્દિરના મધ્ય ભાગે પહોંચતાં પંદર ઉપવાસના ફળને, અને શ્રી જિનમન્દિરમાં પ્રભુદર્શન કરતાં એક માપવાસના ફળને પ્રાપ્ત કરે છે. (૩૭)
ભગવાનના યથાર્થ ગુણને વિષે બહુમાનયુક્ત બનેલા આત્માને એકાગ્ર ચિત્તે શ્રી જિનદર્શન કરતાં ઉપર જણુંવેલ ફળ મળે છે, એ તે એક વ્યાવહારિક વચન છે. નિશ્ચયથી તે જેમ જેમ ભાવની વિશેષતા ભળતી જાય છે, તેમ તેમ ફળની વિશેષતાનું કાંઈ માપ જ રહેતું નથી. ભાવપૂર્ણ ભક્તને તે યાવત્ કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ સુલભ બને છે.