________________
જ અન્ય મતે ઉત્પન્ન થયા છે. શ્રી જિનેશ્વર દેવની સેવામાં સર્વ દેવોની સેવા સમાઈ જાય છે જે જે નામે પ્રમાણથી લોકોત્તર સત્વને કહેનારાં છે, તે સર્વ શ્રી અરિ હતનાં જ છે. સિદ્ધ પરમાત્માના ગુણ અનંત હેવાથી નામ પણ અનંત છે. અથવા નિર્ગુણ-છમસ્થપણાને એક પણ ગુણ નહિ હોવાથી એક પણ નામ નથી. શ્રી અરિહંત તથા સિદ્ધ પરમાત્માનું નરેન્દ્રો દેવેન્દ્રો યોગીન્દ્રો તથા અનુત્તર વિમાનવાસી દે પણ નિરન્તર ધ્યાન કરે છે. અરિ. હતેનું અર્ચન, પૂજન તથા ધ્યાન કરવાથી રાગાદિ આંતર રિપુઓ-શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય છે તથા ભવસમુદ્રમાં ડૂબતા પ્રાણીઓના કર્મરૂપી પાશ કપાઈ જાય છે.
k